બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / Make in India' campaign epitomises challenges facing US-India trade relationship: USTR Report
Hiralal
Last Updated: 04:45 PM, 2 March 2021
બાયડન સરકારે અમેરિકી કોંગ્રેસને જણાવ્યું કે ભારતની મેક ઈન ઈન્ડીયા કેમ્પેઈન બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો માટે એક મોટો પડકાર છે.
ટ્રેડ પોલિસી એજન્ડા અને 2020 એન્યુઅલ રિપોર્ટમાં યુએસ ટ્રેડ રીપ્રેઝન્ટેટીવ (યુએસટીઆર) એ જણાવ્યું કે 2020 ના વર્ષ દરમિયાન, અમેરિકાએ ભારત સાથેના સંબંધો જાળવી રાખ્યાં છે અમેરિકી નિકાશકારોને અસર કરતી લાંબા ગાળાની સમસ્યાના ઉકેલ માટેના પણ પ્રયાસો કરાયા છે.
રિપોર્ટમાં કહેવાયું કે ભારત તેના મોટા બજાર, આર્થિક વૃદ્ધિ અને વિકાસની તમામ તકોને કારણે તમામ અમેરિકી નિકાસકારો માટે જરુરી બજાર બની ગયું છે જોકે ભારતના વેપારની સીમિત કરનાર નીતિઓને કારણે બન્ને દેશોના વ્યાવસાયિક સંબધમાં હાલની સંભાવના નબળી પડી રહેલી દેખાય છે. ભારતનો મેક ઈન ઈન્ડીયા કેમ્પેન દ્વારા આયાત ઓછી કરવા પર ભાર મૂકવાનો નિર્ણય બન્ને દેશોના દ્વિપક્ષીય વ્યાવસાયિક સંબંધોના પડકારો દર્શાવે છે.
5 જુન 2019 ના દિવસે અમેરિકાએ ભારત માટે જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ હેઠળ વેપારમાં મળનારી વિશેષ છૂટ ખતમ કરી નાખી હતી. ભારતને જીએસપીના લાભોથી વંચિત કર્યા બાદ અમેરિકાએ ભારતની સાથે બજારમાં પહોંચ અને તેના નિયમો અંગે વાતચીત કરી હતી. વર્ષ 2020માં પણ બન્ને પક્ષોની વચ્ચે આ મુદ્દે વાતચીત ચાલુ રહી હતી.
રિપોર્ટ અનુસાર, અમેરિકાની ઈચ્છા છે કે ભારત ઘણા ટેરિફમાં ઘટાડો કરીને બજારમાં અમેરિકી કંપનીઓની પહોંચ અને સુલભ બનાવે.તેની ઉપરાંત ગેર-ટેરિફ બેરિયર્સ અંગે પણ કેટલોક વિવાદ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ