બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Extra / mahamanthan-with-padma-shri-subhash-palekar-how-do-you-farming

NULL / પદ્મશ્રી સુભાષ પાલેકર સાથે 'મહામંથન': જાણો એક પણ પૈસા વગર કેવી રીતે કરશો સફળ ખેતી?

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગુજરાતની સૌથી લોકપ્રિય ડિબેટ 'મહામંથન'નું અમદાવાદના નિકોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ મહામંથન ખેડૂતોની સમસ્યાઓ પર કરવામાં આવ્યું હતું. જેમાં પદ્મશ્રી મેળવનાર સુભાષ પાલેકર દેશના પ્રથમ ખેડૂત છે. તેમણે ખેડૂતો ઝીરો બજેટ ખેતી કેવી રીતે કરવી તેની માહિતી આપી હતી. વીટીવીના એડિટર ઇસુદાન ગઢવી પદ્મશ્રી સુભાષ પાલેકર અને પ્રફુલ દાદા દ્વારા ખેડૂતો કોઇ પણ પ્રકારના ખર્ચ વગર કઇ રીતે ખેતી કરી શકે અને સારૂ ઉત્પાદન કરી શકે તેની ચર્ચા કરવામાં આવી હતી.

'0' બજેટમાં ખેતી કેવી રીતે કરશો?
એક ગાય તમને કેટલી રીતે મદદરુપ થઇ શકે છે ? સેન્દ્રિય ખાતર-દવાના કમરતોડ ખર્ચ વચ્ચે મફતમાં ખેતી કેવી રીતે? ખેડૂતોની આવક કેવી રીતે વધી શકે? પરંપરાગત કૃષિ વિજ્ઞાનથી શું થશે ફાયદો? પરંપરાગત કૃષિ વિજ્ઞાન લાંબાગાળા માટે કેટલું અક્સિર? પરંપરાગત ખેતીના છે અનેક છે ફાયદા ! પરંપરાગત ખેતી એટલે મોડું પરિણામ પણ સારુ પરિણામ ! રાસાયણિક ખેતી પડશે મોંઘી!

અમદાવાદમાં નિકોલમાં સુભાષ પાલેકરનો '0' બજેટ ખેતી પર સેમિનાર યોજાયો હતો. જ્યાં સુભાષ પાલેકરે ગાય આધારિત આધ્યાત્મિક ખેત કરવાની સલાહ આપી હતી. 

ગાય આધારિત ખેતી
એક ગાય તમારી 20 એકર જમીનનું પાલન-પોષણ કરી શકે છે. ગાય આધારિત ખેતી ઝેર મુક્ત રસાયણ મુક્ત કરી શકાય છે. ગાય આધારિત ખેતી સ્વાસ્થ્ય વર્ધક અને પ્રાકૃતિક ખેતી છે. ગાય આધારિત ખેતી ધર્મ અને ખેતીનો આધ્યાત્મિક સમન્વય છે. ગાય આધારિત ખેતીથી દેશી ગાયનું સંવર્ધન અને બચાવ પણ થાય છે. દૂધ વગરની દેશી ગાય પણ ખેતીમાં સારો લાભ આપવી શકે છે. ગાય આધારિત ખેતીમાં ગાયના છાણ ગોમૂત્રનો ઉપયોગ થાય છે. છાણ ગૌમુત્ર છાસ ગોળ લીમડા અને ઔષધિને મિક્ષ કરવાથી ખાતર બની શકે છે. આ ખાતર ખુબ ઓછા ખર્ચથી મળે જે ખેડૂતોને આર્થિક ફાયદો કરાવે છે. ખેડૂત રાસાયણિક ખાતર અને મોંઘી દવાના ખર્ચમાંથી બચી શકે છે. ઓછા ખર્ચે -ઓછી મહેનતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સારી રીતે થઇ શકે છે. પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે બમણી આવક થવાની સંભવ છે. ગાય આધારિત ખેતી પદ્ધતિમાં દેશી નસલની ગાય અને બળદ જ શક્ય છે. ગાય આધારિત ખેતીમાં ભેંસ કે જર્સી ગાયનો ઉપયોગ થતો નથી. પ્રાકૃતિક ખેતી શાકભાજી અનાજ કઠોળને ઝેરી રસાયણથી બચાવે છે. ગાય આધારિત ખેતી બ્લડ પ્રેસર ગ્લુકોઝ કેન્સર જેવા ભયાનક રોગમાંથી બચાવે છે. 



પ્રાકૃતિક ખેતીઃ પ્રાકૃતિક ખેતીથી જળ જમીન અને જીવનનો વિકાસ થાય છે. પ્રાકૃતિક ખેતીથી દર વર્ષે નવું રોપણ કરવું પડતું નથી. શેરડી કેળ પપૈયા વગેરેનો પાક પણ ૨૦ વર્ષ સુધી લઇ શકાય છે. પ્રાકૃતિક ખેતીથી બનેલા શાકભાજી અનાજ કઠોળનો પ્રાકૃતિક મીઠાશવાળા હોય છે. પ્રાકૃતિક ખેતીમાં માત્ર ૧૦ ટકા પાણી વપરાય છે. પ્રકૃતિક ખેતીથી હવામાનમાં પ્રદુષણ થતું નથી ઉલટાનું જમીનમાં ભેજ સંરક્ષણ વધે છે.

સેન્ટ્રીય ખાતર-દવાના કમરતોડ ખર્ચ વચ્ચે મફતમાં ખેતી !
પ્રાથમિક દ્રષ્ટિએ આ વાત માનવામાં આવે તેમ નથી પરંતુ મહારાષ્ટ્રના ખેડૂત સુભાષ પાલેકર આ બાબતને સાબિત કરી ચુક્યા છે. તેઓએ ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી પધ્ધતિ અપનાવી છે. જે વર્ષોના રિસર્ચ બાદ તેઓએ આ પધ્ધતિ વિકસાવી છે. જેમાં તેઓ માત્ર ગીર અથવા કાંકરેજ ગાયથી પિયત અથવા બિનપિયત ૫૦ વિઘા જમીનમાં એકપણ રૂપિયાના ખર્ચ વગર ખેતી કરી શકાય છે તેવો દાવો કરી રહ્યા છે. આ દાવો સાચો પણ છે. આજે અમદાવાદમાં નિકોલમાં યોજાયેલા ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતીના સેમિનારમાં સુભાષ પાલેકર ઉપસ્થિત રહ્યા હતા. અને ખેડૂતોને ખેતીલક્ષી માહિતી આપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ