બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ચૂંટણી 2019 / Lok Sabha Election 2019 amit shah Sadhvi Pragya Thakur
vtvAdmin
Last Updated: 10:48 PM, 17 May 2019
અત્રે જણાવી દઇએ કે, 2014 બાદ વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે કહ્યું કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને કારણ દર્શાવો નોટિસ જાહેર કરવામાં આવી છે અને 10 દિવસની અંદર આ મામલે જવાબ આપવાનો ઉલ્લેખ કરાયો છે. તેમના જવાબ બાદ પાર્ટીની અનુશાસન કમિટી આ વિષય પર નિર્ણય કરશે.
આપને જણાવી દઇએ કે, પ્રજ્ઞા ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા હતા. તેમણે કહ્યું કે, નાથુરામ ગોડસે દેશભક્ત છે અને દેશભક્ત રહેશે. તેમના આ પ્રકારના નિવેદન બાદ વિપક્ષ હરકતમાં આવ્યું હતું અને તેમના પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જો કે, ભાજપે આ વિવાદિત નિવેદન મામલે કોઇ પ્રતિક્રિયા દર્શાવી નથી પરંતુ ત્યારબાદ પ્રજ્ઞા ઠાકુરે પોતાના આ નિવેદન મામલે માફી માગી હતી.
ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞા છેલ્લા કેટલાક સમયગાળાથી ખાસ ચર્ચામાં રહ્યા છે. તેમણે મુંબઇમાં બનેલ 26/11ની ઘટનાને લઇને પણ વિવાદિત નિવેદન આપ્યું હતુ. ત્યારે ફરીએકવાર નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવી તેણીએ વિવાદનો મધપૂડો છેડ્યો હતો.
જો કે, અમિત શાહે આજરોજ પ્રેસ કોન્ફરન્સમાં આ મામલા વિશે વાત કરીને સાધ્વીને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જણાવ્યું હતુ. ત્યારે આ માલે જોવું જ રહ્યું કે આગામી સમયમાં ભાજપ દ્વારા સાધ્વી પ્રજ્ઞા સામે કેવા પ્રકારે પગલા લેવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ