બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ધર્મ / know how to celebrate ganesh chaturthi if you haven't brought ganpati idol

Ganesh Chaturthi 2022 / ગણેશજીની મૂર્તિ ન લાવો તો પણ ઘરે આ ચાર રીતે કરી શકો છો પૂજા, જીવનના વિઘ્નો થઈ જશે દૂર

Khevna

Last Updated: 03:09 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશ ચતુર્થીનાં પર્વ પર જો તમે ગણેશજીની મૂર્તિની સ્થાપના નથી કરી શક્યા, તો જાણી લો કેવી રીતે ગણેશ ચતુર્થી મનાવવી.

  • આજે છે ગણેશ ચતુર્થી 
  • જો મૂર્તિ  ન લાવ્યા હોય તો પણ મનાવી શકાય છે ગણેશ ચતુર્થી 
  • ઘરમાં મોદક બનાવી શકાય અને પાડોશી કે સંબંધીઓ સાથે પૂજામાં સામેલ થઇ શકાય

 

ગણેશ ચતુર્થીના દિવસે ઘણા ભક્તો ઘરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવે છે, પણ ઘણા એવા પણ ભક્તો છે, જે ઇચ્છીને પણ બાપ્પાનું સ્વાગત નથી કરી શકતા. આમાંથી અમૂક એવા લોકો હોય છે બીમાર હોય, અમૂક લોકોને ખૂબ જ કામ રહેતું હોય. ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યા બાદ પણ ઘણા એવા ધાર્મિક કાર્યો હોય છે, જે વ્યક્તિએ કરવા પડે છે અને ઘણાં પ્રકારના નિયમોનું પાલન પણ આ કામોમાં સામેલ છે. તમે ગણપતિને બોલાવી ન શકો, પણ તેમના આગમનનાં આ 10 દિવસ પોતાના મિત્રો-સંબંધીઓ સાથે મનાવી તો શકો જ છો. આમ પણ શ્રદ્ધા કર્મથી વધીને મનમાં હોય છે. આવો જાણીએ બાપ્પાની મૂર્તિની સ્થાપના કર્યા વગર કેવી રીતે મનાવવી ગણેશ ચતુર્થી. 

બાપ્પાની પૂજા 
નવા ગણપતિ નથી લાવ્યા, તો સીધી વાત છે કે વિસર્જન પણ નહીં કરી શકો. પરંતુ, ઘરમાં બાપ્પાની જે મૂર્તિ પહેલા જ છે, તેમની પૂજા તો તમે કરી જ શકો છો. બાપ્પા સામે માથું ઝુકાવવાથી જ તેઓ તમારા શ્રદ્ધાભાવને સમજી લેશે. 

સ્વાગતમાં થાઓ સામેલ 
પાડોશી અથવા સગા સંબંધીઓ જો ગણેશજીની મૂર્તિ લઈને આવી રહ્યાં છે, તો તેમની સાથે બાપ્પાનાં સ્વાગતમાં સામેલ થાઓ. સૌની સાથે નાચવા-ગાવામાં અને ગણપતિ બાપ્પા મોરયા બોલવામાં બિલકુલ અચકાશો નહીં. 

પૂજામાં થાઓ સામેલ 
સોસાઈટી કે ગલીમાં થતી ગણેશ પૂજામાં સવાર-સાંજ સામેલ થાઓ. તમે ઈચ્છો, તો તેમના કાર્યોમાં પણ મદદરૂપ થઇ શકો છો. સાફ સફાઈ કે પછી પૂજાણો ભોગ બનાવવામાં પણ યોગદાન આપી શકાય છે. 

મોદક બનાવો 
મોદક ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. ઘરમાં બાપ્પાની પસંદનાં મોદક બનાવીને તમે ઘરનાં મંદિરમાં ભોગ લગાવી શકો છો. આ તહેવાર અને ગણેશ ચતુર્થીનો હિસ્સો બનવાથી જ તમને ખુશી મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ