બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / keylong hp news 16 trekkers stuck at khamigar glacier in lahaul spiti two dies
Dharmishtha
Last Updated: 09:39 AM, 28 September 2021
ખમીંગર ગ્લેશિયર ગયેલા 16 ટ્રેકર્સ ફસાયા
હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં ટ્રેકિંગ માટે ખમીંગર ગ્લેશિયર ગયેલા 16 ટ્રેકર્સ ત્યાં ફસાયા છે. બરફ વર્ષા અને ઠંડીના ચાલતા ત્યાં બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ફસાયેલા છે. સૂચના મળ્યા બાદ હવે જિલ્લા પ્રશાસને આના બચાવ માટે અભિયાન શરુ કરી દીધુ હતુ. આ ઉપરાંત હવે એક 32 સભ્યોના રેસ્ક્યૂ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે.
પ્રશાસને 32 સભ્યોના રેસ્ક્યૂ ટીમનું ગઠન કર્યું છે
લાહૈલ સ્પીતિના ડીસી નીરજ કુમારે જણાવ્યું કે ખમીંગર ગ્લેશિયરમાં ફસાયેલા 16 ટ્રેકર્સે રેસ્ક્યૂ કરવાના કાર્ય પ્રશાસને શરુ કરી દીધી છે. સ્પીતિ પ્રશાસને સોમવારે સવારે 16 સભ્યોના દળના 2 સભ્યોને કાઝામાં આવીને માહિતી આપી કે તેમના અન્ય સાથી ખમીંગર ગ્લેશિયરમાં ફસાયેલા છે. જેમાંથી 2 ટ્રેકરના મોત થયા છે. જ્યારે અન્ય સાથી હજું પણ ત્યાં ફસાયેલા છે. હજું 14 સભ્ય ફસાયેલા છે. પ્રશાસને 32 સભ્યોના રેસ્ક્યૂ ટીમનું ગઠન કર્યું છે. આ ટીમમાં 16 આઈટીબીપીના જવાન, 6 ડોગરા સ્કાઉટના જવાન , એક ચિકિત્સક પણ છે. આ સાથે જ 10 પોટર ભાર ઉઠાવવાનું કામ કરશે.
બંગાળનું ગ્રુપ ગયુ હતુ
ડીસી નીરજ કુમારે જણાવ્યું કે 15 સપ્ટેમ્બરે ઈન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેસન પશ્ચિમ બંગાળના 6 સભ્યોની ટીમ બાતલથી કાઝા વાયા ખમીંગર ગ્લેશિયર ટ્રેકને પાર કરવા રવાના થઈ હતી. આ સાથે 10 પોટર પણ સામેલ છે. પ્રશાસનને મળતી માહિતી મુજબ 3 ટ્રેકર, એક શેરપા એટલે કે લોકલ ગાઈડ અને 10 પોટર પણ ખમીંગર ગ્લેશિયર ગયા છે. ગ્લેશિયરની ઉંચાઈ લગભગ 5034 મીટર છે. ટ્રેકર્સ આમાં ફસાયેલા છે. બચાવ દળને ખમીંગર પહોંચવામાં 3 દિવસ લાગશે. હેલિકોપ્ટરના માધ્યમથી રેસ્ક્યૂ કરવાને લઈને વાતચીત કરવામાં આવી છે. ત્યાં હેલિકોપ્ટરના માધ્યમથી ન પહોંચી શકાય. એટલા માટે 32 સભ્યોની રેસ્ક્યૂ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.
ક્યાંથી શરુ થશે રેસ્ક્યૂ
રેસ્ક્યૂ પિન વેલીના કાહ ગામથી શરુ થશે. પહેલા દિવસે 28 સપ્ટેમ્બરે કાહથી ચંકથાંગો, બીજા દિવસે ચંકથાંગોથી ઘાર થાંગો અને અંતિમ દિવસ ઘારથાંગોથી ખમીંગર ગ્લેશિયર રેસ્ક્યૂ ટીમ પહોંચશે. ત્યારે 3 દિવસ પાછા ખમીંગરથી કાહ પહોંચવામાં લાગશે.
મૃતકના નામ અને એડ્રેસ
પશ્ચિમ બંગાળના કોલકત્તાના ભાસ્કર દેવ મુખોપાધ્યાય (61) અને બેલગોરિયાના સંદીપ કુમાર ઠાકુરાતા (38)ના મોત થયા છે. તો કોલકત્તાના દેબાશીષ બર્ધન(58), રણધીર રાય (63), રામકૃષ્ણ પાલી, તપસ કુમાર દાસ(50), ચિંતરંજન બર્ધવાન અને અતુલ (42) હજું ફસાયેલા છે. આની સાથે પોર્ટર પર સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ