બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / kedarnath yatra stop due to bad weather devotees linep up for darshan
Pravin
Last Updated: 05:41 PM, 23 May 2022
હવામાન વિભાગની ભવિષ્યવાણી બાદ કેદારનાથ ધામ સહિત સંપૂર્ણ રુદ્રપ્રયાગમાં સવારેથી જ વરસાદ ચાલુ છે. જ્યાં કેદારનાથ ધામમાં વરસાદની વચ્ચે તીર્થયાત્રી ભગવાન ભોલેના દર્શન માટે રાહ જોઈ રહ્યા છે. તો વળી જિલ્લા પ્રશાસને રુદ્રપ્રયાગથી ગૌરીકુંડ સુધી મુસાફરોની રોકી રાખ્યા છે.ગૌરીકુંડમાં મુસાફરો પર બ્રેક લગાવી દેવામાં આવી છે. ત્યારે આવા સમયે તીર્થયાત્રીઓ ઠેકઠેકાણે ફસાયેલા છે. હવામાન સાફ ન થાય ત્યાં સુધી તીર્થયાત્રીઓને કેદારનાથ ધામ સુધી મોકલવામાં આવશે નહીં. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે બે દિવસ સુધી ભારે વરસાદની એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી હતી કે, રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ થઈ શકે છે. કેદારનાથમાં વરસાદ બાદ ઠંડી પણ વધશે.
Uttarakhand | Kedarnath Yatra halted amid orange alert
After the orange alert & incessant rain since morning, we have stopped devotees on foot & have been urging them to return to their hotels... do not hike to the temple for now & stay safe: Pramod Kumar, CO Rudraprayag pic.twitter.com/0UGe3YITCG
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 23, 2022
ઠંડી અને વરસાદની વચ્ચે કેદારનાથના દર્શન કરવા માટે લોકો લાઈનોમાં લાગેલા છે. આજે સવારે પાંચ વાગ્યાથી વરસાદ શરૂ થઈ ગયો છે. જેને લઈને શ્રદ્ધાળુઓને રોકી રાખવામા આવ્યા છે. તીર્થયાત્રીને ગૌરીકુંડ, સોનપ્રયાગ, ગુપ્તકાશી, અગસ્ત્યમુનિ તથા રુદ્રપ્રયાગમાં રોકી રાખવામાં આવ્યા છે. હવે મૌસમ સાફ થતા તેમને કેદારનાથ બાજૂ મોકલવામાં આવશે. સતત થઈ રહેલા વરસાદના કારણે પોલીસ પ્રશાસને મુસાફરોને સુરક્ષિત જગ્યાએ રોકી રાખ્યા છે. હવામાન ખરાબ હોવાના કારણે કેટલાય સેવાઓ બંધ પડી છે. કેદારઘાટીમાં વરસાદના કારણે ધુમ્મસ છવાયેલો છે.
અનેક સેવાઓ બંધ પડી
વિઝિબિલિટી ન હોવાના કારણે સેવાઓનું સંચાલન બંધ પડ્યું છે. આ ઉપરાંત વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં રાહત મળી છે. તો વળી કેદારનાથ ધામ પર તેની ખરાબ અસર જોવા મળી રહી છે. ગૌરીકુંડથી રુદ્રપ્રયાગ સુધી 8થી 10 હજાર મુસાફરો ફસાયેલા છે. પોલીસે જણાવ્યું છે કે, હવામાન વિભાગે એલર્ટ આપ્યા બાદ જિલ્લમાં સવારે વરસાદ થયો છે. કેદારનાથ જતાં તીર્થયાત્રીઓને સુરક્ષિત જગ્યા પર રોકી રાખવામાં આવ્યા છે. વરસાદના કારણે આ યાત્રા પર બ્રેક લાગ્યો છે. હવામાન સાફ થયા બાદ જ તીર્થયાત્રીઓને કેદારનાથ તરફ જવા દેવામા આવશે. ગુપ્તકાશી અને રુદ્રપ્રયાગ વચ્ચે પાંચ હજાર જેટલા શ્રદ્ધાળુઓને રોકી રાખવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ