બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Megha
Last Updated: 03:44 PM, 28 February 2023
K Vishwanath's wife Jayalakshmi Passed Away: સાઉથ સિનેમાથી વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે દિગ્ગજ દિવંગત ફિલ્મ નિર્માતા કે વિશ્વનાથની પત્ની જયલક્ષ્મીનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ વિશ્વનાથની પત્નીએ રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા.
કે વિશ્વનાથની પત્ની જયલક્ષ્મીએ અંતિમ શ્વાસ લીધા
રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે જયલક્ષ્મીનું નિધન તેમના હૈદરાબાદના ઘરે થયું હતું. સાથે જ એમ પણ જણાવ મળ્યું છે કે જયલક્ષ્મીનું નિધન ઉંમર સંબંધિત સમસ્યાઓને કારણે થઈ છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા જે બાદ એમને રવિવારે દુનિયાને અલવિદા કહી દીધું છે. કે વિશ્વનાથના પત્ની જયલક્ષ્મીના નિધનથી સાઉથ ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે અને લોકો સોશિયલ મીડિયા પર એમનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్ గారి సతీమణి జయలక్ష్మి గారు కన్నుమూత.
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 26, 2023
Shri #Jayalakshmi (Wife of Legendary Director #KVishwanath garu) passed away.
May her soul rest in peace 🙏 pic.twitter.com/nW5JubVEZy
25 દિવસ પહેલા થયું હતું કે વિશ્વનાથનું નિધન
જણાવી દઈએ કે જયલક્ષ્મીના મૃત્યુના લગભગ 25 દિવસ પહેલા તેમના પતિ અને દિગ્ગજ ફિલ્મ નિર્માતા કે વિશ્વનાથનું પણ નિધન થયું હતું. પતિના અવસાનના થોડા જ દિવસો બાદ પત્ની આ દુનિયા છોડીને ચાલ્યા જવાથી પરિવાર ઘણો દુઃખી છે.
92 વર્ષની ઉંમરે કે વિશ્વનાથએ દુનિયાને કહ્યું હતું અલવિદા
થોડા દિવસ પહેલા જ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના શાનદાર કામ માટે જાણીતા એવા એકટર-ડિરેક્ટર વિશ્વનાથનું નિધન થયું હતું. કે વિશ્વનાથે 92 વર્ષની ઉંમરમાં એમને હૈદરાબાદ સ્થિત એક હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો. જણાવી દઈએ કે છેલ્લા થોડા દિવસથી તેઓ ત્યાં એડમિટ હતા અને હાલ મળતી રિપોર્ટ અનુસાર વિશ્વનાથ છેલ્લા થોડા સમયથી ઉંમરને લગતી બીમારીઓથી પીડિત હતા.
કે વિશ્વનાથના નિધન પર આ સેલેબ્સએ અર્પી હતી શ્રધ્ધાંજલિ
કે વિશ્વનાથના નિધનને લઈને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને સેલેબ્સે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 'RRR' સ્ટાર જુનિયર NTR, અભિનેતા મામૂટી, સંગીતકાર AR રહેમાન, દિગ્દર્શક ગોપીચંદ માલિનેની અને અન્ય ઘણા લોકો સહિત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત હસ્તીઓએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ભાવનાત્મક પોસ્ટ્સ પોસ્ટ કરીને વિશ્વનાથને શ્રદ્ધાંજલિ આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ