બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Jyotish shashtra lord ganesh upay astrological remedies of Wednesday

જ્યોતિષ શાસ્ત્ર / દર બુધવારે અપનાવો આ ઉપાય, દૂર થશે તમામ કષ્ટ, જીવન ખુશીઓથી ભરી દેશે વિઘ્નહર્તા

Arohi

Last Updated: 11:22 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jyotish Shashtra Lord Ganesh Upay: બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી તમને ખાસ લાભ પ્રાપ્ત થાય છે. સાથે જ અમુક ઉપાય પણ છે જેને કરવાથી તમારા કરિયરથી લઈને પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે.

બુધવાર ભગવાન ગણેશનો વાર કહેવાય છે. ગણેશજી વિદ્યા, બુદ્ધિ પ્રદાન કરવાની સાથે જ વિધ્ય-બાધાઓ દૂર કરે છે. માન્યતાઓ અનુસાર બુધવારના દિવસે અમુક ઉપાય કરીને તમને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનના વિધ્નોથી છુટકારો મળે છે. તેની સાથે જ બુધવારના દિવસે અન્ય દેવી-દેવતાઓના ઉપાય કરીને પણ તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. એવા જ અમુક ખાસ ઉપાયોના વિશે આજે અમે તમને જણાવીશું. 

બુધવારના દિવસે કરો આ ઉપાય 
જો તમારી પ્રોફેશનલ લાઈફમાં સફળતા મેળવવા માંગો છો કે પછી તમારૂ ઈન્ટરવ્યૂ ક્લિયર નથી થઈ શકતું તો પરીક્ષામાં સફળતા મેળવવા માટે બુધવારના દિવસે કાચ્ચા સૂતરમાં 7 ગાંઠ લગાવીને જય ગણેશ, કાટો ક્લેશ મંત્રનો જાપ કરતા ભગવાન ગણશજીને સમર્પિત કરી દો. તેના બાદ તે દોરાને પોતાના પર્સમાં મુકો. 

અભ્યાસમાં મુશ્કેલી આવી રહી હોય તો 
અભ્યાસમાં કોઈ પ્રકારની મુશ્કેલી આવી રહી છે કે નવી કોલેજમાં એડમિશન લેવામાં કોઈ પ્રકારની મુશ્કેલી આવી રહી છે તો આજના દિવસે એક કાચું નારિયેળ લઈ તેના ઉપર એક લાલ રંગનું કપડુ કે ચુંદડી લપેટી લો. તેના બાદ મનમાં જ ભગવાન પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા તે નારિયેળને ભગવાન ગણેશના ચરણોમાં ચડાવી દો. 

અક્ષય ફળોની પ્રાપ્તિ માટે 
આજે ભગવાન શિવનો આશીર્વાદ લઈને કોઈ જરૂરીયાતમંદને યથાશક્તિ, એટલે કે ક્ષમતા હોય તેટલું અનાજ ભેટમાં આપો. સાથે જ જો તમે પોતાના જીવનમાં અક્ષય ફળોની પ્રાપ્તિ કરવા માંગો છો પોતાના જીવનને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવા માંગો છો તો કોઈ જરૂરિયાતમંદને અનાજ ભેટ કરવાની સાથે જ શિવજીના આ મંત્ર ऊँ नमः शिवायનો 11 વખત જાપ કરો.  

વિદ્યાના ક્ષેત્રમાં ઉપલબ્ધિ માટે 
જો તમે વિદ્યાના ક્ષેત્રમાં ઉપલબ્ધિ મેળવવા માંગો છો તો આજના દિવસે સ્નાન કર્યા બાદ માતા સરસ્વતીની ઉપાસના કરો. પહેલા ધૂપ-દીપથી તેમની આરતી કરો અને તેમને પુષ્પ અર્પિત કરો સાથે જ આજના દિવસે તમને વિદ્યા યંત્રની સ્થાપના કરવી જોઈએ. 

કોઈ પણ મુશ્કેલીઓ દૂર કરવા 
જો તમારા જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલીઓ ચાલી રહી છે તો આજના દિવસે એક સફેદ ચંદનની ગોળી લઈને પોતાની પાસે રાખી લો અને તેને બીજા 27 દિવસ સુધી પોતાની પાસે રાખો. જો તમે ઈચ્છો તો તેને ચંદનની ગોળીના દોરામાં પરોવીને ગળામાં ધારણ કરી શકો છો. 

વધુ વાંચો: ક્યાંક તમારા ઘરના આંગણે તો નથી લાગ્યા ને આ 3 છોડ? તો તુરંત કરો આ કામ, નહીંતર..!

રિલેશન મજબૂત બનાવવા માટે 
જો તમે પોતાના લવમેટની સાથે સંબંધ મજબૂત બનાવવા માંગો છો તો પોતાના જીવનમાં પ્રેમ ટકાવી રાખવા આજના દિવસે તમને ચિત્રા નક્ષત્ર વખતે ચિત્રા નક્ષત્રના સ્વામી મંગળના આ મંત્રનો 11 વખત જાપ કરવો. મંત્ર આ પ્રકારે છે- ॐ क्रां क्रीं क्रौं स: भौमाय नम:

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ