બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / jet airways lenders start bankruptcy proceedings sbi debt revival talks fail
vtvAdmin
Last Updated: 04:40 PM, 18 June 2019
આ બેઠકમાં એરલાયન્સને ફરી ઉભી કરવા માટે પોતાના તરફથી થનાર તમામ મહેનત છોડી દીધી હતી. બેંકોના સમૂહે જેટ એરવેઝમાં ફસાયેલ પોતાના દેવાના સમાધાન મામલે દેવાળા સંહિતા હેઠળ કાર્યવાહી માટે રાષ્ટ્રીય કંપની વિધિ ન્યાયાધિકરણ (NCLT)માં મોકલવાનો નિર્ણય કર્યો છે.
બેન્કરોના જણાવ્યાનુસાર જેટ એરવેઝના સંભવિત ઠરાવ પર બેન્કોની આજે મિટિંગ મળી હતી. હજુ સુધી અમોને જેટ એરવેઝ માટે કોઇ ગંભીર પ્રસ્તાવ કે ઓફર મળી નથી અને તેથી નાદારીના કાયદા હેઠળ આ મામલાનું નિરાકરણ લાવવાની શક્યતા ચકાસવામાં આવશે. સૂત્રોના જણાવ્યાનુસાર બેન્ક યુએસ એક્ઝિમ બેન્કને રૂ.ર૦૦ કરોડનું પેમેન્ટ કરીને જેટના છ વિમાનોનું પઝેશન પરત મેળવવા માટે વિચાર કરી શકે છે.
એક અન્ય બેન્કરના જણાવ્યાનુસાર એક્ઝિમ બેન્કને પેમેન્ટ કરવાનો કોઇ અર્થ નથી કારણ કે, આ વિમાનોના માલિકી હક અંગે હજુ કોઇ ચિત્ર સ્પષ્ટ થયું નથી અને તેથી આગળ જતા ફરી વિવાદ ઊભો થઇ શકે છે.
જેટ એરવેઝને લોન આપનાર બેન્કો અગાઉ પણ કહી ચૂકી છે કે, કંપનીની નેગેટિવ નેટવર્થ બદલવી અને તેની સેવાઓ પુનઃ શરૂ કરવી. રોકાણકારો માટે સરળ નથી. જેટ એરવેઝ પર હાલમાં રૂ.૮પ૦૦ કરોડનું દેવું છે અને તેની પાસે કુલ રૂ.રપ૦૦૦ કરોડની વસુલાત બાકી નીકળે છે.
દેશની સૌથી જૂની આ પ્રાઇવેટ એરલાઇન્સે ૧૭ એપ્રિલથી પોતાની ઉડાન બંધ કરી દીધી છે કારણ કે તેમની પાસે રોજ-બરોજના ઓપરેશન ચાલુ રાખવા કેશ ઉપલબ્ધ નથી. બેન્કોએ પણ તેને વચગાળાની લોન આપવા ઇન્કાર કરી દીધો છે. અગાઉ એવા સમાચાર હતા કે હિન્દુજા અને ઇતિહાદ મળીને જેટ એરવેઝ માટે ડીલ કરવા તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ