બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / Jan Dhan Account Holder Will Get 3k Rupees Pension Every Month Under This Government Scheme
Hiralal
Last Updated: 08:09 PM, 6 October 2022
જો તમે પણ જનધન ખાતું ખોલાવ્યું છે, તો તમારા માટે એક સારા સમાચાર છે. જનધન ખાતાધારકોને દર મહિને પૂરા 3000 રૂપિયા મળશે. કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે જનધન ખાતું હોવું જરૂરી છે. આ ખાતામાં પણ ખાતાધારકોને સરકારી યોજનાનો લાભ મળે છે. જે અંતર્ગત જનતાના ખાતામાં સીધા જ પૈસા જમા કરાવવામાં આવે છે.
યોજના પર એક નજર
>> 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.
>> આ સ્કીમના પૈસા 60 વર્ષની ઉંમરે મળે છે.
>> તેમાં વાર્ષિક 36000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે.
>> અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આ યોજનાનો લાભ મળે છે.
>> જો તમારી માસિક આવક 15000 રૂપિયાથી ઓછી છે, તો તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો.
આવા લોકોને મળશે ફાયદો
શેરી વિક્રેતાઓ, મધ્યાહન ભોજન કામદારો, હેડ લોડર, ઈંટ ભઠ્ઠાના કામદારો, મોચીઓ, કચરો વીણનારા, ઘરના કામદારો, ધોબી, રિક્ષાચાલકો, જમીન વિહોણા મજૂરો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ સિવાય તમારી પાસે જનધન ખાતું હોવું જોઈએ અને આ સાથે જ તમારે બચત ખાતાની વિગતો પણ જમા કરાવવી પડશે.
ઉંમર પ્રમાણે નજીવો ફાળો આપવો પડે છે
આ સ્કીમ હેઠળ તમારે અલગ અલગ ઉંમર પ્રમાણે દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીનો ફાળો આપવો પડશે. જો તમે 18 વર્ષની ઉંમરમાં આ સ્કીમમાં જોડાશો તો તમારે દર મહિને 55 રૂપિયા આપવા પડશે. ૩૦ વર્ષની વયના લોકોએ ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે અને તે ૪૦ વર્ષના લોકોએ ૨૦૦ રૂપિયા ચૂકવવા પડશે. આ સ્કીમમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે તમારા સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ અથવા જનધન એકાઉન્ટના આઇએફએસ કોડની જરૂર પડશે. આ સિવાય તમારી પાસે આધાર કાર્ડ અને માન્ય મોબાઇલ નંબર હોવો જરૂરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ