બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Khevna
Last Updated: 12:43 PM, 12 May 2022
ગુજરાત ફરવા માટેની IRCTCની સ્પેશિયલ ઓફર
જો તમે પણ ગુજરાત ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. તમે માત્ર 8790 રૂપિયામાં ભારતનાં પ્રમુખ શક્તિપીઠ અંબાજી મંદિરનાં દર્શન તો કરી જ શકો છો અને સાથે સાથે દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને લક્ષ્મી વિલાસ પેલેસની યાત્રા પણ કરી શકો છો.
આટલા ઓછા ખર્ચમાં ગુજરાત ફરવાની વ્યવસ્થા ઇન્ડિયન તેલ્વે ટૂરિઝમ એન્ડ કેટરિંગ કોર્પોરેશને કરી છે. આ માટે આઈઆરસીટીસી એક સ્પેશિયલ ટૂર પેકેજની ઓફર આપે છે. આ ટૂર પેકેજને અમદાવાદ સાથે કેવડિયા યાત્રા - અંબાજી દર્શન વડોદરા (Kevadia Tour With Ahmedabad – Ambaji Darshan Ex Vadodara) નામ આપવામાં આવ્યું છે.
આ ટૂર પેકેજ પ્રત્યેક બુધવાર અને શુક્રવારે શરુ થાય છે. બે રાત અને ત્રણ દિવસની આ ટૂર પેકેજમાં તમને અમદાવાદ અને તેની આસપાસનાં સ્થળો ફરવાનો મોકો મળશે. IRCTCએ ટ્વીટ કરીને આ વિષે જાણકારી આપી છે. તમે દુનિયાનાં સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી, લક્ષ્મી વિલાસ પેલેસની યાત્રા સહીત ઘણી ખાસ જગ્યાની મુલાકાત લઇ શકો છો. આ પેકેજ માટે માત્ર 8790 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ કરવો પડશે.
શું છે ખાસ?
આ ટૂર પેકેજમાં આઈઆરસીટીસી પર્યટકોનાં રહેવા અને ફરવાની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ બ્રેકફાસ્ટ અને ડીનર પણ આ પેકેજમાં સામેલ છે. પહેલા દિવસે વડોદરા રેલવે સ્ટેશનથી પર્યટકોને લક્ષ્મી વિલાસ પેલેસ અને બરોડા સંગ્રહાલય જેવા સ્થળો બતાવવામાં આવશે. ત્યાર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જવામાં આવશે. રાત્રે અમદાવાદ હોટલમાં સ્ટે આપવામાં આવશે. બીજા દિવસે સવારે અંબાજી મંદિરનાં દર્શન કરાવવામાં આવશે. ટૂરનાં ત્રીજા દિવસે સાબરમતિ આશ્રમ, કાંકરિયા ઝીલ અને અક્ષરધામ મંદિર ફેરવવામાં આવશે.
કેટલો થશે ખર્ચ?
ડબલ શેરિંગ માટે તમારે 8890 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ કરવો પડશે. આ ઉપરાંત, ટ્રિપલ શેરિંગ માટે 8590 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ થશે. જયારે ચાઈલ્ડ વિથ બેડની વાત કરીએ તો 7390 રૂપિયા પ્રતિ બાળક ખર્ચ થશે. આઈઆરસીટીસીનાં પેકેજ વિષે વધારે જાણકારી મેળવવા માટે તમે ઓફિશિયલ લિંક http://bit.ly/3FlMvnB વિઝીટ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ