બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / India's big statement on Israel amid war with Hamas

Israel-Hamas War / 'કોણ સાચું, કોણ ખોટું એ અલગ વાત છે પરંતુ...', હમાસ સાથે જંગ વચ્ચે ઇઝરાયલ પર ભારતનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 09:34 AM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Hamas war Latest News: જયશંકરે કહ્યું કે, દેશો યોગ્ય લાગે તે રીતે પ્રતિક્રિયા આપવા માટે યોગ્ય હોઈ શકે છે, પરંતુ તમારી પાસે એવો પ્રતિભાવ હોઈ શકે નહીં જે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાને ધ્યાનમાં ન લે

Israel-Hamas War : Israel-Hamas warને ફરી એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે મલેશિયાની મુલાકાત દરમિયાન ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. રાજધાની કોલમપુરમાં એક કાર્યક્રમ દરમિયાન એસ જયશંકરે ઇઝરાયલને આડેહાથ લઈ અને પેલેસ્ટાઇનમાં તેના હુમલાઓને કારણે નાગરિકોના નુકસાન અંગે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ઈઝરાયલ-પેલેસ્ટાઈન મુદ્દે બોલતા વિદેશ મંત્રીએ કહ્યું કે, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સમગ્ર વિવાદમાં કોણ સાચુ અને કોણ ખોટું એ અલગ વાત છે, પરંતુ હકીકત એ છે કે પેલેસ્ટાઈનીઓને તેમના અધિકારો અને જમીનથી વંચિત રાખવામાં આવ્યા છે.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે 7 ઓક્ટોબરે થયેલા હમાસના હુમલાને પણ આતંકવાદી હુમલો ગણાવ્યો છે. પરંતુ તે વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે, ગાઝામાં તેની ક્રિયાઓ માટે ઈઝરાયેલની જવાબદારી આંતરરાષ્ટ્રીય સ્તરે નિશ્ચિત થવી જોઈએ. તમને જણાવી દઈએ કે જયશંકરનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ કરવાની વાત કરવામાં આવી છે. અમેરિકાએ આ પ્રસ્તાવને વીટો ન આપ્યો અને મતદાનથી દૂર રહ્યું. આના પર ઈઝરાયેલે અમેરિકા સામે નારાજગી વ્યક્ત કરી છે.

આવો જાણીએ શું કહ્યું જયશંકરે ? 
વિદેશમંત્રી એસ જયશંકર સિંગાપોર, ફિલિપાઈન્સ અને મલેશિયાની મુલાકાતે છે. ફિલિપાઈન્સની મુલાકાત બાદ તેઓ મલેશિયા પહોંચ્યા છે, જ્યાં કોલમપુરમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, એક તરફ 7 ઓક્ટોબરે જે થયું તે આતંકવાદ હતો. બીજી તરફ નિર્દોષ નાગરિકોના મોતને કોઈ સહન કરશે નહીં. જયશંકરે વધુમાં કહ્યું, દેશો યોગ્ય લાગે તે રીતે પ્રતિક્રિયા આપવા માટે યોગ્ય હોઈ શકે છે, પરંતુ તમારી પાસે એવો પ્રતિભાવ હોઈ શકે નહીં જે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાને ધ્યાનમાં ન લે. હકીકત એ છે કે, પેલેસ્ટિનિયનોને તેમના અધિકારો અને જમીનથી વંચિત રાખવામાં આવ્યા છે.

વધુ વાંચો: IPSની પત્ની ઉતરી ચૂંટણી મેદાનમાં, આ સીટ પરથી કોંગ્રેસે ટિકિટ આપતા ભાજપ એક્ટિવ મોડમાં, કરી ECને ફરિયાદ

હમાસે ઈઝરાયેલ પર ઓપરેશન અલ-અક્સા ફ્લડ શરૂ કર્યા બાદ ઈઝરાયેલ તેના જવાબમાં છેલ્લા 5 મહિનાથી ગાઝા પર હુમલો કરી રહ્યું છે. જેના કારણે ગાઝામાં માનવીય સંકટ ઉભું થયું છે. આ હુમલાઓમાં લગભગ 35 હજાર નાગરિકોના મોત થયા છે અને ગાઝાનું લગભગ 75 ટકા માળખું ધ્વસ્ત થઈ ગયું છે, જેના કારણે પેલેસ્ટિનિયનોને દવા, ખોરાક વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ બહારની મદદ પર નિર્ભર રહેવું પડે છે. ઇઝરાયલ અને ઇજિપ્તની સરહદો બંધ કર્યા પછી ગાઝા સુધી આંતરરાષ્ટ્રીય સહાય પહોંચાડવી ખૂબ જ મુશ્કેલ છે જેના કારણે આ સંકટ ઘેરી બની રહ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ