બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Kishor
Last Updated: 08:14 PM, 15 August 2022
દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની આજે ગર્વભેર શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ગૌરવવંતા અવસરે ઠેર-ઠેર તિરંગા લહેરાવવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદમાં પણ હર ઘર તિરંગા અભિયાનને વધાવી લઇ મોટા ભાગના લોકોએ પોતાના ઘર પર તિરંગો ફરકાવ્યો હતો. તેવામાં હવે જ્યારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્ણ થઇ છે ત્યારે અમદાવાદમાં રાષ્ટ્ર ધ્વજનું સન્માન જાળવવા માટે AMC દ્વારા સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં લોકો AMCને રાષ્ટ્રધ્વજ પરત કરી શકશે. AMC રાષ્ટ્રધ્વજને પરત લઇ તેનું સન્માન જળવાઇ તેવી વ્યવસ્થા કરશે તેમ જણાવાયુ છે.
AMC સન્માન સાથે રાષ્ટ્રધ્વજને લેશે પરત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભારતના લોકોને અપીલ કરી13થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરે તિરંગો ફરકાવવા આહવાન કર્યું હતું આ માટે સરકાર દ્વારા નિર્ણયો પર હળવા કરાયા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનુરોધને લોકોએ વધાવી લીધો હતો અને હર ઘર તિરંગા અભિયાનને લઈને અમદાવાદના મોટા ભાગના ઘરો પર લોકોએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આખું અમદાવાદ જાણે દેશભક્તિના રંગે રંગાયુ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. મોટી સંખ્યામાં રાષ્ટ્રધ્વજ લહેરાયા હોવાથી ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના અપમાનનો ડર જાણકારોમાં સતાવતો હતો. જેને પગલે આજે 'રાષ્ટ્રધ્વજ' ઘરે ન રાખવો હોય તો AMC સન્માન સાથે પરત લેશે. ફ્લેગ કોડનો ભંગ ન થાય તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ફ્લેગ કોડનો ભંગ ન થાય તે માટે AMCનો નિર્ણય
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જણાવાયા અનુસાર કોઈને રાષ્ટ્રધ્વજ પરત કરવો હોય તો AMC સન્માન સાથે રાષ્ટ્ર ધ્વજ પરત લશે. આ ઉપરાંત કોઈ પણ શહેરીજનો ઘરે રાખવા માગે તો તેને સાચવી અને રાષ્ટ્રધ્વજની ગરિમાં જળવાઈ તે રીતે રાખવો પડશે તેમ સૂચના આપવામાં આવી છે. રાષ્ટ્રધ્વજ પરત કરવા માંગતા લોકોએ નજીકના સીવિક સેન્ટર, વોર્ડ ઓફિસનો સંપર્ક કરીને રાષ્ટ્રધ્વજ પરત કરી શકશે. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના નિયમનો ભંગ ન થાય તે માટે નિર્ણય કરાયો છે. નોંધનીય છે કે, દર વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજનું સન્માન ન જળવાતું હોવાના કિસ્સાઑ સામે આવતા હોવાથી તમામ શહેરોમાં આ નિર્ણય લેવામાં આવે તે આવકારદાયક બાબત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ