બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ICAR 12th Biennial National Center for Agricultural Science at Solan, Himachal Pradesh
Kishor
Last Updated: 08:59 PM, 1 June 2022
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હિમાચલ પ્રદેશના સોલન ખાતે 12માં દ્વિ-વાર્ષિક રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપી હતી. ડૉ. વાય એસ. પરમાર હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી યુનિવર્સિટી ખાતે યોજાયેલાં આ કાર્યક્રમમાં દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો-KVKનાં વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે માર્ગદર્શન આપ્યુ હતું. જેમાં રાજ્યપાલએ સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં જણાવ્યું હતું કે, 60ના દશકમાં ખાદ્યાન્ન ક્ષેત્રે દેશને સ્વાવલંબી બનાવવા ક્ષેત્રે કૃષિ વૈજ્ઞાનિકોનું પ્રદાન મહત્વપૂર્ણ રહ્યુ હતું. હવે પ્રાકૃતિક કૃષિથી લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે, ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે વૈજ્ઞાનિકો સંકલ્પબદ્ધ બને તે જરૂરી છે.
ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો 24 ટકા હિસ્સો
રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, આઝાદી બાદ ખાદ્યાન્નની અપૂર્તિ માટે રાસાયણિક કૃષિ દ્વારા હરિત ક્રાંતિએ સમયની માંગ હતી. હવે આખું વિશ્વ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી ત્રસ્ત છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો 24 ટકા હિસ્સો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જળ-જમીન અને પર્યાવરણ દુષિત થઈ રહ્યા છે. જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, દુષિત ઉત્પાદનો આરોગવાથી લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે, ત્યારે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે. રાજ્યપાલએ વૈજ્ઞાનિકોને પરિવર્તનના પ્રહરી ગણાવી જણાવ્યુ હતું કે, વૈજ્ઞાનિકો પોતાના સંશોધનો-કૌશલ્યની મદદથી વર્તમાન પડકારોનો ઉકેલ મેળવી પ્રાકૃતિક કૃષિની મદદથી આપત્તિને અવસરમાં પરિવર્તિત કરે અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વૈજ્ઞાનિક તથ્યોથી માહિતગાર કરી દેશભરમાં ખેડૂત અને ખેતીની સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ બને.
ગુજરાતમાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજ આંધ્ર પ્રદેશમાં 6 લાખ ખેડૂતો, ગુજરાતમાં બે લાખ ખેડૂતો અને હિમાચલ પ્રદેશમાં 1.70 લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે, જે આ કૃષિ પદ્ધતિની સફળતા દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા સંકલ્પબદ્ધ છે. દેશભરના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે પ્રધાનમંત્રીએ આહ્વાન કર્યું છે,આ પ્રસંગે રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિના બીજામૃત,જીવામૃત-ઘન જીવામૃત, મલ્ચીંગ, વાપ્સા અને મિશ્ર પાક જેવા મહત્વના સિદ્ધાંતોની વિગતવાર સમજ આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ સૂક્ષ્મ જીવાણું હોય છે. એટલું જ નહીં ગૌ-મૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ-ગૌમૂત્ર, બેસન, ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત-ઘન જીવામૃત પ્રાકૃતિક ખાતરનું કાર્ય કરે છે, આ એક પ્રકારનું કલ્ચર છે જે જમીનમાં સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ કરે છે અને જમીનનાં ઓર્ગેનિક કાર્બનની માત્રામાં વધારો કરે છે, જેથી જમીન ફળદ્રુપ બને છે.
જમીન અને માનવીના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ આશીર્વાદરૂપ: જયરામ ઠાકુર
રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને લોકોના સ્વાસ્થ્ય માટે લાભદાયી ગણાવી ઉમેર્યું હતું કે, હવે લોકો ફેમિલી ડૉક્ટરની સાથે ફેમિલી ફાર્મરની આવશ્યકતા સમજી રહ્યા છે. રાજ્યપાલએ આ પ્રસંગે કૃષિ પ્રદર્શનને પણ ખુલ્લુ મૂક્યું હતું. આ કોન્ફરન્સમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરોના ઉપયોગથી ઉત્પાદન વધે તે હવે શક્ય નથી. જમીન બંજર બની રહી છે, ત્યારે જમીન અને માનવીના સ્વાસ્થ્યની રક્ષા માટે પ્રાકૃતિક કૃષિ આશીર્વાદરૂપ છે, તેમણે કૃષિ ક્ષેત્રે ટેક્નોલૉજીના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir