બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Home Minister Amit Shah inaugurates Sola-Gota Bridge on SG Highway
Kiran
Last Updated: 10:17 AM, 1 November 2021
ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે સ.જી. હાઈ-વે પર વધુ એક બ્રિજ લોકાપર્ણ કરવામાં આવ્યું, તેમના દ્વારા આજે ગોતા-સોલા ઓવરબ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો, આ પ્રસંગે મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ રોડ ભાવવત ક્રોસ રોડ અને હાઈકોર્ટથી સોલા બ્રિજને જોડાતો હોવાથી નાગરિકોને ફાયદો થશે. તેમજ નવા બ્રિજથી એસ.જી. હાઈ-વે પર ટ્રાફિક હળવું થશે એટલે કે અમદાવાદથી ગાંધીનગર જવામાં જે 1 કલાકનો સમય લાગતો હતો તેમાં 15 મિનિટથી 20 મિનીટ જેટલો ઘટાડો થશે..
એસ.જી. હાઈ-વે પર ટ્રાફિક હળવો થશે
અમદાવાદીઓને હવે દિવાળીના પહેલા સરકાર દ્વારા મોટી ભેટ મળશે. જે ભેટને કારણે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળી રહેશે. એસ જી હાઈવે પર એલિવેટેડ કોરિડોર તૈયાર થતા તેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે ખુલ્લો મુકાયો છે. જેથી હવે અમદાવાદના એસજી હાઈ વે પર ટ્રાફિકની સમસ્યા ઓછી જોવા મળશે. જેથી લોકોને મોટી રાહત મળી રહેશે.
ગાંધીનગર ટ્રાવેલ કરતા લોકોને મોટો ફાયદો
ખાસ કરીને જે લોકો અમદાવાદથી ગાંધીનગર ટ્રાવેલ કરતા હોય છે. તે લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળી રહેશે. એસજી હાઈવને પર હવે મોટા ભાગના ટ્રાફિક રૂટ પર બ્રીજ બનાવી દેવામાં આવ્યા છે. જેના કારણે શહેરીજનોને મોટી રાહત મળી છે. તેમા પણ હવે તો નવો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો જેથી રસ્તો વધું સરળ બન્યો છે.
સોલાથી લઈ ગોતા સુધીનો અંડરબ્રિજ તૈયાર
એસજી હાઈવે પર સોલાથી લઈને ગોતા સુધીનો આ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ બ્રીજ અત્યાર સુધીનો સૌથી લાંબો ઓવરબ્રીજ છે. આ ઓવરબ્રિજને કારણે જે લોકોને ગાંધીનગર જવું હશે તે લોકોની અંદાજે 15 મીનીટ બચી જશે. જેથી અમદાવાદથી ગાંધીનગર ટ્રાવેલ કરનારાને સૌથી મોટો ફાયદો થશે.
હોસ્પિટલ જતા ઈમરજન્સી વાહનોને થશે ઘણો ફાયદો
ઉલ્લેખનીય છે કે આ બ્રીજને કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં આવતા ઈમરજન્સી વાહનોને પણ ઘણો ફાયદો થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના હસ્ત આજે આ બ્રિજનું ઉદ્ધાંટન કરવામાં આવ્યું છે. મહત્વનું છે અગાઉ પણ એસજી હાઈવે પર આવેલ વૈષ્ણોદેવી સર્કલ પર બ્રિજનું અમિત શાહના હસ્તે જ ઉદ્ધાંટન કરવામાં આવ્યું હતું,
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ