બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Historic Judgment of Deodar Additional Sessions Court of Banaskantha
Kishor
Last Updated: 05:22 PM, 25 January 2023
બનાસકાંઠાની દિયોદર એડીશનલ સેસન્સ કોર્ટે આજે એક ઐતિહાસિક ચુકાદો સંભાળાવ્યો હતો. જેમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે આરોપીએ વર્ષ ૨૦૧૯માં કુહાડીના ઘા મારીને માતા-પત્ની અને પુત્રની હત્યા કરી હતી.
શુ હતો સમગ્ર કેસ ?
ચાર વર્ષ પહેલા આરોપી ભીખાજી તખાજી ઠાકોર અને તેમનો પરીવાર લાખણી તાલુકાના ભાકડીયા ગામે રહેતા હતા. જેમાં આરોપીએ માતા, પત્ની અને પુત્રની બેરહમી પૂર્વક હત્યા કરી નાખી હતી. વર્ષ ૨૦૧૯માં આરોપી ભીખાજી તખાજી ઠાકોર પાસે કોઈ કામ ધઁધો ન હતો. આ દરમિયાન તેમની માતાએ તેમને કામ કરવા જણાવ્યું હતુ. આ સામાન્ય વાતનું આરોપીને ખોટુ લાગી ગયુ હતુ. જે બાદ આરોપીને ગુસ્સો આવ્યો હતો અને તેમની માતાની કુહાડીના ઘા મારી બેરહમી પૂર્વક હત્યા કરી નાખી હતી. એટલુ જ નહીં તેની સાથે તેમની પત્ની અને પુત્રની પણ કુહાડી ઘા મારી હત્યા નીપજાવી હતી.
હત્યાના કેસમાં ફાંસીની સજા
છેલ્લા ચાર વર્ષથી આ હત્યાનો કેસ બનાસકાંઠાની દિયોદર એડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં તારીખ પડી રહી હતી પરંતુ તે કેસનો ચૂકાદો આજે આવી ગયો છે. જેમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. મહત્વનું છે કે સરકારી વકીલ ડી.વી.ઠાકોર દ્વારા કોર્ટમાં મજબુત દલીલો કરી હતી. અને આ દલીલોને ધ્યાને રાખી દિયોદર એડીશનલ કોર્ટે કલમ ૩૦૨ના ગુન્હામાં આરોપી ભીખાજી તખાજી ઠાકોરને ફાંસીની સજા ફટકારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ