બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / high court said saying die somewhere is not abetment to suicide
Pravin
Last Updated: 11:25 AM, 31 August 2022
પતિને લાફો માર્યા બાદ 'ક્યાંક જઈને મરી જા' કહેનારી પત્નીને પંજાબ હરિયાણા હાઈકોર્ટે છુટ્ટા કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, આંતરિક વિવાદમાં આ પ્રકારની વાત કહેવી આત્મહત્યા માટે ઉકસાવવા માટે પુરતું નથી.
બરનાલા નિવાસી પિતાએ પોલીસને ફરી આપી હતી કે, તેમના દિકરાના લગ્ન 22 માર્ચ 2015ના રોજ થયા હતા. પત્ની ગ્રેજ્યુએટ હતી અને તે અભણ પતિને પોતાના સમકક્ષ સમજતી નહોતી. તેને લઈને બંને વચ્ચે ખૂબ ઝઘડા થતાં રહેતા હતા. સમયની સાથે બંને વચ્ચે વિવાદ વધતો ગયો. પરિણામ એ આવ્યું કે, પત્ની હાલતાને ચાલતા ઝઘડા કરીને પિયરમાં જતી રહેતી હતી. સાસરિયાવાળાઓ દર વખતે તેને મનાવીને લઈ આવતા હતા, જેથી સંબંધ ખરાબ ન થાય.
ફરિયાદકર્તાનો આરોપ છે કે, 28 જૂન 2015ના રોજ દિકરા અને વહુમાં ભારે ઝઘડો થયો હતો. આ દરમિયાન વહુએ દિકરાના ગાલ પર લાફો મારતા કહ્યું કે, તે ક્યાંક જઈને મરી કેમ નથી જતો ? ત્યાર બાદ દિકરાએ પોતાના રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો હતો. થોડા સમય બાદ રૂમમાંથી ધુમાડો નિકળતો જોયો. પાડોશીઓની મદદથી દરવાજો ખોલ્યો. અંદર દિકરાએ પોતાની જાતને આગ લગાવી દીધી હતી. તેને પટિયાલાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.
આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અને નિચલી કોર્ટે વહુને દોષિત માનતા 7 વર્ષની સજા ફટકારી અને 1.25 લાખનો દંડ પણ ફટકાર્યો. સજાના આદેશને વહુએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે વહુની અરજીને મંજૂર રાખતા કહ્યું કે ,આ મામલામાં સાક્ષી ફક્ત મૃતકના માતા-પિતા છે અન્ય કોઈ નથી.
કોર્ટે કહ્યું કે, જો એવું માની લેવામાં આવે કે, અરજીકર્તા વહુએ લાફો માર્યો અને એવું કહ્યુ કે, ક્યાંક જઈને મરી જા, તેના માટે પતિએ આત્મહત્યા કરી, તે ગુનો બનતો નથી. હાઈકોર્ટે વહુની સજાને રદ કરતા દંડની રકમ પાછી આપવાનો આદેશ આપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ