બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Arohi
Last Updated: 12:53 PM, 26 June 2023
એસ્પિરિન નામની એક દવા છે. લગભગ આ દવાના વિશે દરેક લોકો જાણતા જ હશે. એક એવી દવા છે જેનો ઉપયોગ દુખાવાને દૂર કરવા માટે થાય છે. તેના ઉપયાંગ તેનાથી તાવ પણ ઓછો કરી શકાય છે. ત્યાં જ હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવા માટે મોટાભાગે લોકો એસ્પિરિન દવા લે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દવાઓ તમને વધારે બિમાર કરી શકે છે.
આજ કારણ છે કે ડોક્ટર્સ લોકોને તેનાથી દૂર રહેવાની સલાબ આપી રહ્યા છે. હકીકતે હાલમાં થયેલી એખ સ્ટડીમાં એવું સામે આવ્યું છે કે એસ્પિરિનનો ડોઝ તમારા શરીરથી લોહીને સુકાવી શકે છે. આવો જાણીએ તેના વિશે વિસ્તારથી.
શું કહે છે સ્ટડી?
તમને જણાવી દઈએ કે એસ્પિરિન પેઈન કિલર છે અને Anti-inflammatory પ્રભાવ માટે જાણીતી છે. હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી અમુક હૃદય સંબંધી બિમારીઓ માટે એસ્પિરિનને પેઈન કિલરના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. જોકે જે લોકો આ દવાને લાંબા સમય સુધી ખાય છે. તેમના માટે આ શોધ કોઈ ખતરાથી કમ નથી. નવી શોધમાં જાણવા મળ્યું છે કે જે લોકો એસ્પિરિનનું સેવન કરે છે તેમનામાં એનીમિયાનું જોખમ જોવા મળ્યું છે.
સ્ટડીમાં સામે આવ્યું છે કે ઓછા ડોઝ વાળી એસ્પિરિન વૃદ્ધ લોકોમાં આયર્નની કમી વાળા એનીમિયાના ખતરાને 20 ટકા સુધી વધારી દે છે. એનલ્સ ઓફ ઈન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત એક સ્ટડી અનુસાર રેન્ડમ 1900થી વધારે લોકો જેમની ઉંમર 70 વર્ષ કે તેનાથી વધારે છે તેમને ભેગા કરવામાં આવ્યા. એસ્પિરિન લેનાર લોકોની વચ્ચે એનેમિયા વિકાસ માટે 23.5 ટકા જોખમનું સંકેત જોવામાં આવ્યું.
આ રીતે પણ નુકસાન પહોંચાડે છે એસ્પિરિન
એસ્પિરિન દવા પેન કિલરની સાથે સાથે બ્લડ થિનરનું પણ કામ કરે છે. આ બ્લડ ક્લોટિંગને રોકે છે. તેના ફાયદા છે તો નુકસાન પણ છે. તમે તેને ઓછા ડોઝમાં લો તેમ છતાં તેના કારણે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન અુસાર એસ્પિરિનનો વધારે ડોઝ પેટ અને આંતરડાની સપાટીમાં બળતરા પેદા કરી શકે છે. જેનાથી પેટમાં દુખાવો, બેચેની, રક્તસ્ત્રાવ જેવા લક્ષણ થઈ શકે છે.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા