બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / guru chandal yoga formed badly impact on gemini these 5 zodiac signs effected

ધર્મ / આ 5 રાશિના જાતકો રહે સાવધાન! સુખ-શાંતિ, સમૃદ્ધિ પર પડી શકે છે માઠી અસર, કારણ 'ગુરુ ચાંડાલ રાજયોગ'

Manisha Jogi

Last Updated: 08:36 AM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

30 ઓક્ટોબરના રોજ રાહુ વૃષભ રાશિમાં ગોચર કરશે, ત્યારે ગુરુ ચાંડાલ યોગ સમાપ્ત થઈ જશે. ગુરુ ચાંડાલ યોગને કારણે 5 રાશિના જાતકો પર અશુભ પર અસર થશે.

  • ગુરુ ગ્રહ અને રાહુ એકસાથે આવે તો ગુરુ ચાંડાલ યોગનું નિર્માણ 
  • 30 ઓક્ટોબરના રોજ રાહુ વૃષભ રાશિમાં ગોચર કરશે 
  • આ પાંચ રાશિના જાતકોએ સાવધાન રહેવું

વૈદિક જ્યોતિષ અનુસાર ગુરુ ગ્રહ અને રાહુ એકસાથે આવે તો ગુરુ ચાંડાલ યોગનું નિર્માણ થાય છે. જેના કારણે જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. રાહુ ગ્રહ પહેલા મેષ રાશિમાં બિરાજમાન હતો, ત્યાર પછી 22 એપ્રિલના રોજ ગુરુએ મેષ રાશિમાં પ્રવેશ કરતા ગુરુ ચાંડાલ યોગનું નિર્માણ થયું છે. 30 ઓક્ટોબરના રોજ રાહુ વૃષભ રાશિમાં ગોચર કરશે, ત્યારે ગુરુ ચાંડાલ યોગ સમાપ્ત થઈ જશે. ગુરુ ચાંડાલ યોગને કારણે 5 રાશિના જાતકો પર અશુભ પર અસર થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

મેષ-
ગુરુ ચાંડાલ યોગને કારણે મેષ રાશિના જાતકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડશે. આ દરમિયાન આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું, વાદ વિવાદમાં ના પડવું તથા નોકરિયાત વ્યક્તિઓએ સાવધાની રાખવી. વેપારીઓએ સમજી વિચારીને રોકાણ કરવું. 30 ઓક્ટોબર સુધી કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેવો. 

મિથુન-
વૈદિક જ્યોતિષ અનુસાર મિથુન રાશિના જાતકો માટે ગુરુ ચાંડાલ યોગને અશુભ માનવામાં આવે છે. આર્થિક પરેશાનીનો સામનો કરવો પડશે, દાંપત્યજીવનમાં તણાવ ઉત્પન્ન થશે. નોકરિયાત વ્યક્તિઓએ અપમાન સહન કરવું પડી શકે છે. તમારું નામ ખરાબ થઈ શકે છે, કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેવો. 

કન્યા-
ગુરુ ચાંડાલ યોગને કારણે કન્યા રાશિના જાતકો માટે દુર્ઘટનાનો યોગ બની રહ્યો છે. માતાના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. દાંપત્યજીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. મન અને વાણી પર સંયમ રાખો. વાદ વિવાદની પરિસ્થિતિ બની શકે છે. 

ધન-
ગુરુ ચાંડાલ યોગને કારણે ધન રાશિના જાતકો માટે પારિવારિક વિવાદનો યોગ બની રહ્યો છે. નોકરી સંબંધિત અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. મનમાં નિરાશા રહેશે. માતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સાથે જોડાયેલ અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. અસફળતાનો હિંમત પૂર્વક સામનો કરો અને ગુરુ ગ્રહના ઉપાય કરો. 

મીન-
મીન રાશિના જાતકોએ વાણી પર સંયમ રાખવો. ગુરુ ચાંડાલ યોગને કારણે નકારાત્મક લાગણી ઉત્પન્ન થઈ શકે છે, જેના કારણે મન અશાંત રહેશે અને વાદ વિવાદનો યોગ બની રહ્યો છે. આરોગ્ય સંબંધિત પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ