બ્રેકિંગ ન્યુઝ
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
Shyam
Last Updated: 06:11 PM, 12 April 2021
ગુજરાતમાં 25મી એપ્રિલે યોજાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડની ચૂંટણી મોકૂફ કરી દેવાઈ છે. ગુજરાતના 80 હજારથી વધુ મતદારો આ ચૂંટણીમાં મતદાન કરતા હોય છે. પરંતુ કોરોનાના કારણે આ પ્રક્રિયાને હાલ પૂરતી ટાળી દીધી છે. જિલ્લા અને તાલુકાકક્ષાએ 80 હજારથી વધુ મતદારો ચૂંટણીમાં મતદાન કરે છે. સંચાલક મંડળ અને શૈક્ષણિક સંઘોએ ચૂંટણી મોકૂફ રાખવા વિનંતી કરી હતી. જે બાદ શિક્ષણબોર્ડના સચિવે સત્તાવાર રીતે નિર્ણય લઈને જાહેરાત કરી છે. અને કોરોનાના કારણે 25મી એપ્રિલે યોજાનારી શિક્ષણબોર્ડની ચૂંટણી મોકૂફ રખાઈ છે.
શિક્ષણ વિભાગ દ્વારા કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ કરવાનો નિર્ણય
રાજ્યમાં વકરેલા કોરોના સંક્રમણને લઈ રાજ્ય સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે. આગામી 30 એપ્રિલ સુધી તમામ સરકારી અને ખાનગી કોલેજો બંધ રાખવાનો નિર્ણય હાલ પુરતો કરાયો છે. પરિસ્થિતિ અનુસાર આગામી દિવસોમાં નવા નિર્ણય સામે આવી શકે છે. જો કે, રાજ્યમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય સરકારે પહેલા જ આપી દીધો હતો. કોલેજોમાં શિક્ષણ બંધ કરાયું છે પરંતુ ઓનલાઈન માધ્યમથી શિક્ષણ આપી શકાશે. કોરોનાની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પરીક્ષા મુદ્દે યુનિવર્સિટીએ પહેલા જ કેટલીક જાહેરાતો કરી દીધી છે. અને પરીક્ષાઓ મોકૂફ રાખી દીધી છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોના વાયરસની લાથડતી પરિસ્થિતિ પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી જેમાં રેમડેસિવિર ઈન્જેક્શનથી લઈને રાત્રિ કર્ફ્યૂ મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારને આડે હાથ લીધી છે ત્યારે હવે હાઇકોર્ટે રાજ્ય પાસે એક્શન પ્લાનનો રિપોર્ટ માંગ્યો છે.
15 એપ્રિલના સવારે 11 વાગ્યે વધુ સુનાવણી હાથ ધરાશે
કોરોના મામલે 2 દિવસ બાદ હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરાશે અને બે દિવસમાં હાઇકોર્ટે કોરોના સામે શું એક્શન પ્લાન રહેશે તેના પર એફિડેવિટ દાખલ કરવાના આદેશ આપ્યા છે. હવે 15 એપ્રિલના સવારે 11 વાગ્યે વધુ સુનાવણી હાથ ધરાશે.
તમે મીડિયાના રિપોર્ટમાં તથ્ય ન હોવાનું ન કહી શકો: HC
નોંધનીય છે કે આજે સરકાર તરફથી હાઇકોર્ટમાં મીડિયા રિપોર્ટ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે હાઇકોર્ટે સરકારને ખખડાવતા કહ્યું કે મીડિયામાં પણ કોઇ આધાર પર જ સમાચાર લખતા હશે. તમે મીડિયાના રિપોર્ટમાં તથ્ય ન હોવાનું ન કહી શકો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ