બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Dinesh
Last Updated: 09:10 PM, 22 May 2023
આતંકીઓની નજર ગુજરાત પર હોવાનો મોટો પર્દાફાશ થયો છે. કારણ કે, ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથને ઝડપી પાડ્યું છે. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી આરોપીને કોર્ટેમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે મેટ્રો કોર્ટ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સાત દિવસના રિમાન્ડ મંજૂર
ATSએ આરોપી મહોમ્મદ સોજીબને ઝડપ્યો હતો અને જેને કોર્ટમા રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અત્રે તમને જણાવી દઈએ કે, 30મી મે સુધી આરોપીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. આતંકવાદી સંગઠન અલ કાયદાને લગતું સાહિત્ય પણ તેની પાસેથી મળ્યું છે તેમજ બાંગ્લાદેશી ચલણ પણ આરોપી પાસેથી કબજે લેવાયું છે. ઉલ્લેખનીય છે કે, આરોપી પાસેથી બોગસ આધારકાર્ડ તથા પાનકાર્ડ મળ્યા છે. બાંગ્લાદેશી નાગરિક અબ્દુલ લતીફ ઉર્ફે મોમીન ઉલ અન્સારીની શોધખોળ કરવામાં આવશે.
અન્ય કેટલાક લોકો પણ ATSની કસ્ટડીમાં છે
તમને જણાવી દઈએ કે, અન્ય કેટલાક લોકો પણ ATSની કસ્ટડીમાં છે. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા. વિદેશમાંથી આતંકવાદી ભંડોળ એકત્ર કરવાના પુરાવા પણ મળ્યા છે. આ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાતમાં આતંકી હુમલાના ષડયંત્ર અંગે જેવા જ ઈનપુટ મળ્યા કે, ગુજરાત ATSએ એક્શન મોડમાં આવી ગઈ હતી.
3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરી હતી
નારોલમાંથી 3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરી હતી. આ ત્રણેય યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતુ. આ ત્રણેય શકમંદોના પાકિસ્તાન સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે તેમની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે. અને આ ખુલાસા પ્રમાણે પાકિસ્તાન અને બાંગ્લાદેશના શખ્સો સાથે મળીને આ ષડયંત્ર રચવામાં આવતુ હોવાનું ખુલ્યુ છે. જોકે અલકાયદા ઈન્ડિયાનું ષડયંત્ર શું હતું. તે અંગે હજુ પણ નવા ખુલાસાઓ સામે આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army