બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Mehul
Last Updated: 08:16 PM, 25 September 2019
કોમોડિટી બજાર વિશ્લેષકોનું માનીએ તો સોનું આગામી તહેવારની સીઝનમાં ભારતીય બજારમાં 40000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જઇ શકે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં 1500-1600 ડોલર પ્રતિ ઔંસ વચ્ચે કારોબાર જોવા મળી શકે છે. હાલમાં જ સોનું ઘરેલૂ બજારમાં 40000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર ગયો હતો.
હાલ દિલ્હીમાં બુધવારે 10 ગ્રામ (22 કેરેટ) સોનાની કિંમત 37,150 રૂપિયા છે. જ્યારે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ 38,350 રૂપિયા છે. ભારતીય શેયર બજારમાં બુધવારે મોટો ઘટાડો જોવા મળ્યો. જેના કારણે સોનાના ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું.
ભારતમાં નવરાત્રી બાદ ધનતેરસ અને દિવાળીનો તહેવાર છે, જેથી સોના અને ચાંદી સહિત નવી વસ્તુઓ ખરીદવાના શુભ મુહૂર્ત બની રહ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શાંતિ ભાઇ પટેલે કહ્યું કે નવરાત્રીથી શરૂ થનારી ખરીદી આગળ ધનતેરસ અને દિવાળી સુધી રહેશે. ત્યારબાદ લગ્નની સીઝન શરૂ થઇ રહી છે. જેથી ઘરેલૂ બજારમાં સોના અને ચાંદીની માંગ બની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ