બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / From this day the distribution of free ration will stop across the country
ParthB
Last Updated: 01:30 PM, 2 November 2021
લોકડાઉન દરમિયાન PM મોદીએ આ યોજનાની શરૂઆત કરી હતી
કોરોનાવાયરસના પ્રથમ લહેર દરમિયાન, સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. મહામારીને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે દેશમાં આજીવિકાનું સંકટ સર્જાયું હતું. લોકડાઉનના કારણે રોજીંદા મજૂરોથી લઈને નાના વેપારીઓ સુધીના લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે. કામના અભાવે લોકો એક ટાઈમ રોટલીની પણ વ્યવસ્થા કરી શકતા ન હતાં. દેશના એક મોટા વર્ગની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી હતી.
80 કરોડ દેશવાસીઓને PMGKYનો લાભ મળ્યો
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKY) હેઠળ, ભારતના લગભગ 80 કરોડ રેશનકાર્ડ ધારકોને દર મહિને 5 કિલો વધુ અનાજ(ધઉં-ચોખા) આપવામાં આવ્યાં હતાં. તમને જણાવી દઈએ કે, દેશના જે નાગિરક પાસે રાશન કાર્ડ ઉપલબ્ધ છે, તેના ક્વોટાના રાશની સાથે તેને આ યોજના હેઠળ દર મહિને 5 કિલો વધારાનું રાશન મળી રહ્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મળતું આ રાશન બિલકુલ મફત છે, જેણે દેશના કરોડો ગરીબોની બે ટાઈમની રોટીની તકલીફો દૂર કરી હતી.
આ વર્ષે આ યોજના દિવાળી સુધી ચાલશે
આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકના દરેક સભ્યને દર મહિને 5 કિલો વધારાના ઘઉં અને ચોખા આપવામાં આવતાં હતાં. આ યોજના ગયા વર્ષે શરૂ કરવામાં હતી, જે ગયા વર્ષે દિવાળી અને છઠ પૂજા સુધી ચાલુ રહી હતી.આ પછી આ વર્ષે ફરી જ્યારે કોરોના વાયરસની બીજી લહેર સમગ્ર દેશમાં આવી, ત્યારે ફરી એકવાર દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ત્યારે PMGKY 2.0 શરૂ કરવામાં આવી હતી. બીજા તબક્કો પણ દીવાળી એટલે કે, 4 નવેમ્બર સુધી ચાલુ રહેશે અને પછી તે બંધ થઈ જશે
યોજના બંધ થયા બાદ પહેલાની જેમ જ અનાજનું વિતરણ કરાશે
PMGKY બંધ થયા બાદ દેશના તમામ રેશનકાર્ડ ધારકોને પહેલાની જેમ જ અનાજનું વિતરણ કરવામાં આવશે. જ્યાં રેશનકાર્ડ ધારકોએ ક્વોટામાંથી મળતા રાશન માટે નજીવી કિંમત ચૂકવવી પડે છે. તો બીજી તરફ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મળતું વધારાનું રાશન સંપૂર્ણપણે મફત હતું. જેના માટે થોડા નાણા પણ લેવામાં આવ્યો ન હતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ