બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / From the CJI to the district level judges reached the desert of Kutch together
Priyakant
Last Updated: 02:38 PM, 2 March 2024
CJI DY Chandrachud In Kachchh : ભારતના મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડ સહિત 250 જેટલા જિલ્લા ન્યાયાધીશો હાલ કચ્છના સફેદ રણમાં છે. વાત જાણે એમ છે કે, CJI DY ચંદ્રચુડના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટે ગ્રામીણ ભારતની અભૂતપૂર્વ મુલાકાત લીધી છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં ન્યાયની પહોંચ વધારવા અને સામાન્ય લોકો સાથે સીધો સંવાદ વધારવા માટે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટને દરેક ગામમાં લઈ જઈ રહ્યા છે. આ ઐતિહાસિક પહેલના ભાગરૂપે પાયાના સ્તર સાથે જોડાણ કરવાના હેતુથી ન્યાયતંત્રના ઉચ્ચ અધિકારીઓ ગુજરાતના કચ્છ પ્રદેશના રણમાં બે દિવસીય કાર્યક્રમ માટે એકત્ર થયા છે. દેશના ઈતિહાસમાં આ પ્રકારનું પ્રથમ સંમેલન છે.
કચ્છમાં 250 જિલ્લા ન્યાયાધીશોને એકઠા કરવામાં આવ્યા
એક ખાનગી મીડિયાના અહેવાલ પ્રમાણે આ પરિષદમાં કચ્છના રણમાં તમામ હાઈકોર્ટના પ્રતિનિધિઓ તેમજ દેશભરની નીચલી અદાલતોના 250 જિલ્લા ન્યાયાધીશોને એકઠા કરવામાં આવ્યા છે. શનિવાર અને રવિવારે ચાલનારા આ કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ અને તેમના સાથી ન્યાયાધીશો સીધા જ જિલ્લા ન્યાયાધીશો સાથે જોડાશે. CJI ચંદ્રચુડની સાથે જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદી પણ ગુજરાત પહોંચ્યા છે. ખાસ વાત એ છે કે આમાંથી જસ્ટિસ સંજીવ ખન્ના અને સૂર્યકાંત ભારતના આગામી ચીફ જસ્ટિસની ભૂમિકા ભજવી શકે છે.
મહત્વનું છે કે, CJI ચંદ્રચુડની આ પહેલમાં પાયાના સ્તરે મુદ્દાઓને સંબોધવા માટે કાર્યક્રમોનું આયોજન કરવાનો સમાવેશ થાય છે. ઈ-ફાઈલિંગ, વર્ચ્યુઅલ સુનાવણી, બંધારણીય કેસોનું લાઈવ સ્ટ્રીમિંગ અને પ્રાદેશિક ભાષાઓમાં ચુકાદાઓના અનુવાદ પછી સર્વોચ્ચ અદાલતને આશા છે કે, સામાન્ય લોકો સુધી પહોંચવાનું આ અભિયાન પારદર્શક અને સુલભ ન્યાયતંત્રને જાળવવામાં પણ મદદ કરશે.
CJI સાથે સહમત થતા વરિષ્ઠ ન્યાયાધીશો જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સૂર્યકાન્ત સંમત થયા કે સામાન્ય લોકો સુધી સીધું પહોંચવું એ ન્યાયતંત્ર અને જનતા વચ્ચેના અંતરને દૂર કરવાનો અસરકારક માર્ગ છે. આ પછી ન્યાયાધીશો વચ્ચે ચર્ચા થઈ અને પછી એક સત્ર યોજવાનું નક્કી કરવામાં આવ્યું જ્યાં નીચલી અદાલતના ન્યાયાધીશો સાથે સીધો સંપર્ક થઈ શકે. આ કોન્ફરન્સમાં ટેક્નોલોજી, સંસાધનો અને અન્ય લોજિસ્ટિકલ પાસાઓ સંબંધિત ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh