બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Flags will be hoisted at half-mast on the Jagatmandir in dwarka
Kishor
Last Updated: 05:01 PM, 11 July 2022
કરોડો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન ભગવાન દ્વારકાધીશ મંદિર પર વધુ એક વખત અડધી કાઠીએ ધ્વજા ચડાવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, છેલ્લા કેટલાય સમયથી મેઘો દ્વારકા પંથક પર ઓળઘોળ થઇ દ્વારકા સહિત હાલાર પંથકને ઘમરોળી રહ્યો છે. તેવામાં તોફાની પવન અને ભારે વરસાદની શકયતાને લઇને આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વરસાદી વાતાવરણને લઈને લેવાયો નિર્ણય
દ્વારકામાં છેલ્લા કેટલાય સમયથી અવિરત મેઘમહેર થઇ રહી છે. પરંતુ અનરાધાર વરસાદને પગલે આ મેઘમહેર હવે મેઘકહેરમાં બદલાયી રહી હોય તેવો ઘાટ સર્જાઇ રહ્યો છે. તેવામાં દ્વારકામાં વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવન અને ખરાબ હવામાનને લઈને દ્વારકાધીશ મંદિર પર અડધી કાઠીએ ધ્વજા ચડાવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં દ્વારકામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. વધુમાં જામનગર સહિત દ્વારકા સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદ સાથે 30 થી 40 કિમીની ગતિથી પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી રહી છે તેવા સંજોગો વચ્ચે દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા સુરક્ષાને ધ્યાને આ નિર્ણય લેવાયો છે.
ગત તા. 5 ના રોજ જગતમંદિર પર ચડાવાઇ હતી અડધી કાઠીએ ધ્વજા
ધ્વજા ચડાવતા પૂજારીઓના પરિવારની સુરક્ષાને કેન્દ્રમાં રાખી જગતમંદિર પર આગામી તા. 15 જુલાઈ સુધી અડધી કાઠીએ ધ્વજા ચડાવવામાં આવશે. નોંધનિય છે કે, તાજેતરમાં ગત તા. 5 ના રોજ વરસાદને લઇને જગતમંદિર શિખર પર અડધી કાઠીએ ધ્વજા ચડાવવામાં આવી હતી. મહત્વનું છે કે, મંદિર પર દરરોજ પાંચ 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. પરંતુ ગત તા. 5 ના રોજ અવિરત વરસાદને પગલે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. આ ઉપરાંત એક વર્ષ અગાઉ તૌકતે વાવાઝોડામાં દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. ત્યારબાદ વધુ એક વખત દ્વારકાધીશ મંદિર પર અડધી કાઢીએ ધજા ફરકાવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army