બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers' fields of Surendranagar were flooded again
Dinesh
Last Updated: 11:56 PM, 19 February 2023
આમ તો કેનાલના પાણી ખેડૂતોના પાક માટે જીવતદાન સાબિત થતા હોય છે. પરંતુ ક્યારેક તંત્રની ભૂલના કારણે આ જ કેનાલના પાણી ખેડૂતોના હાથમા આવેલો કોળિયો ઝૂંટવવાનું કામ કરે છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપૂર અને આદલસર ગામના ખેડૂતોની સાથે કંઈક આવું જ બન્યું છે. અહીં મધરાતે ઓવરફ્લો થયેલી કેનાલના પાણીએ ખેડૂતોની મહેનતની કમાણી પર 'પાણી' ફેરવી દીધું છે
ભૂલ ભરપૂર, ઊનાળે આવ્યું પૂર
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપૂર અને આદલસર ગામના ખેતરોના પાણી જ પાણી છે. સિંચાઈ વિભાગની બલિહારી જુઓ કે આજે જ્યારે અનેક ખેતરમો સિંચાઈના પાણીના અભાવે પાક સૂકાઈ રહ્યો છે ત્યારે તંત્રની ઘોર બેદરકારીના કારણે નર્મદાની કેનાલમાંથી ઓવરફ્લો થયેલા પાણી આ રીતે વેડફાઈ રહ્યા છે. કદાચ એમનામ જ પાણી વેડફાઈ ગયું હોત તો આટલો ઉહાપોહ ન થયો હોત, પરંતુ ઓવરફ્લો કેનાલે તો અનેક ખેતરોમાં તૈયાર થયેલા એરંડિયાના પાકનું પણ ધોવાણ કરી નાખ્યું છે. રાત્રીના અંધારામાં ત્રાટકેલી આ આફતે અનેક ખેડૂતોના હાથમાંથી કોળિયો ઝૂંટવી લીધો છે.
અડધી રાતે કેનાલ થઈ ઓવરફ્લો
નર્મદા કેનાલ ઓવર ફ્લોએ ખેડૂતોની આખી સિઝનની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ઢાંકીથી સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ સુધીમાં પાંચ પમ્પિંગ સ્ટેશન આવેલ છે, જેમાં ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી આદલસર પમપિંગ સ્ટેશન વચ્ચે આવેલ એસકેએફ કેનાલ રાત્રીના સમયે છલકાઈ ગઈ હતી. આ ઘટના ખેડૂતો માટે અણધારી હતી. ખેડૂતો કંઈ સમજે તે પહેલા પાણીનો એટલો પ્રવાહ તેમના ખેતરમાં ઘૂસી ગયો કે, ખેડૂતોની નજર સામે તેમનો તૈયાર થયેલો એરંડિયાનો હજારો મણ પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. ભર ઉનાળે ખેતરોમાં ભરેલા આ પાણી એ અડધી રાતે આવેલી ત્રાસદીની કહાની રજૂ કરી રહ્યા છે.
આ નુકસાન કોણ ભરપાઈ કરી આપશે?
આ કોઈ નાનૂ સૂનું નુકસાન નથી. કેનાલ ઓવર ફ્લો થતાં ખેડૂતોને પાકનું નુકસાન તો થયું જ છે, સાથે અનેક કિલોમીટરો સુધી જમીનું ધોવાણ પણ થયું છે. સ્થાનિક લોકોનો અંદાજ મુજબ અંદાજે પાંચ કિલોમીટર સુધી કેનાલ ફ્લોના પાણી ફરી વળ્યા છે અને અવરજવર માટેના અનેક રસ્તા બંધ થઈ ગયા છે. આમ માનવસર્જિત ભૂલના કારણે, આદલસર પમ્પિંગ સ્ટેશન આસપાસના અનેક ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વાર આવ્યો છે. ત્યારે ખેડૂતો દ્વારા હવે નુકસાનીનો સર્વે કરાવીને સહાય ચૂકવવા માટેની માગણી કરવામાં આવી રહી છે. ત્યારે જોવાનું એ રહેશ કે તંત્ર ખેડૂતોની વહારે આવે છે કે કેમ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir