બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ધર્મ / Durva Ashtami 2023 worship of lord ganesha is done with water

Durva Ashtami 2023 / તમારા ઘરે કે આસપાસ ગણેશજીની સ્થાપના કરી હોય તો 22 તારીખે અત્યંત ખાસ દિવસ: દૂર્વાથી કરો મહાઉપાય

Arohi

Last Updated: 11:50 AM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Durva Ashtami 2023: આ દિવસે ધરો ચડાવી ગણેશ પૂજા કરવાથી દરેક પ્રકરાની મુશ્કેલીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પણ પુરી થાય છે. પૌરાણીક કથા અનુસાર ગણેશજીએ અલનાસુર રાક્ષસને માર્યો હતો અને તેના બાદથી તેમને ધરો ચડાવવામાં આવે છે.

  • ઘરે કરી છે ગણેશજીની સ્થાપના? 
  • તો 22 તારીખે જરૂર કરો આટલું કામ 
  • દરેક મનોકામનાઓ થશે પુરી

ગણેશ ચતુર્થીના 4 દિવસ દુર્વાષ્ટમીનું વ્રત હોય છે. જે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની આઠમે આવે છે. આ વખતે આ વ્રત 22 સપ્ટેમ્બરે આવશે. આ દિવસે ધરો ચડાવીને ગણેશજીની ખાસ પૂજા કરવામાં આવે છે.

માન્યતા છે કે આ દિવસે ધરો ચડાવી ગણેશ પૂજા કરવાથી દરેક પ્રકરાની મુશ્કેલીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પણ પુરી થાય છે. પૌરાણીક કથા અનુસાર ગણેશજીએ અલનાસુર રાક્ષસને માર્યો હતો અને તેના બાદથી તેમને ધરો ચડાવવામાં આવે છે. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. 

પૌરાણીક કથા
ગણેશજીને ધરો ચડાવવા પાછળ અનલાસુર નામના અસુરની કથા જોડાયેલી છે. કથા અનુસાર અનલાસુરના આતંકના કારણે બધા દેવતા અને પૃથ્વીના બધા મનુષ્યો ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. દેવરાજ ઈંદ્ર, અન્ય દેવતા અને પ્રમુખ ઋષિ-મુનિ મહાદેવની પાસે પહોંચે છે. શિવજીએ જણાવ્યું કે આ કામ ફક્ત ગણેશજી જ કરી શકે છે. ત્યાર બાદ બધા દેવતા અને ઋષિ-મુનિ ભગવાન ગણેશની પાસે પહોંચ્યા. 

દેવતાઓની પ્રાર્થના સાંભળીને ગણપતિ અનલાસુર પાસે યુદ્ધ કરવા માટે પહોંચ્યા. ઘણા સમય થયો પરંતુ અનલાસુરને પરાજીત ન કરી શકાયો. ત્યારે ભગવાન ગણેશ તેમને પકડીને ગળી ગયા. ત્યાર બાદ ગણેશજીના પેટમાં ખૂબ બળતરા થવા લાગી. 

જ્યારે કશ્યપ ઋષિએ ધરોની 21 ગાંઠો બનાવીને ગણેશજીને ખાવા આપી. ત્યારે તેમના પેટમાં બળતરા શાંત થઈ. ત્યારથી ભગવાન ગણેશને ધરો ચડાવવાની પરંપરા શરૂ થઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ