બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Megha
Last Updated: 04:26 PM, 17 September 2022
હિન્દુ ધર્મમાં નવરાત્રીનું ખૂબ જ મહત્વ હોય છે. તેમાં પણ સૌથી વધારે મહત્વ શારદીય નવરાત્રીનું હોય છે. ભારતીય પંચાંગ અનુસાર, શારદીય નવરાત્રી અશ્વિન મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે અને દશમી પર સમાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી આ મહિને એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને 5 ઓકટોબર સુધી રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન 9 દિવસ લક્ષ્મીજી ભક્તોના ઘરમાં વાસ કરે છે. નવરાત્રીના નવ દિવસ માટે મા લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. નવરાત્રી દરમિયાન મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા આ સરળ ઉપાયો કરી લો..
- નવરાત્રિ શરૂ થાય એ પહેલા તમારા ઘર અને પૂજા સ્થળની સારી રીતે સાફ-સફાઇ કરી લો. માન્યતા અનુસાર મા દુર્ગા એ જ સ્થાન પર વાસ કરે છે, જ્યાં સાફ-સફાઇ અને સાત્વિકતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.
- નવરાત્રિ દરમિયાન મા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે તેમની વિધિવત પૂજા- અર્ચના કરવી જોઈએ. આ સાથે મન પણ એકદમ શુદ્ધ અને સાત્વિક રાખવું જોઈએ. કોઈ વિધ્ન વિનાની પૂજાથી જ લાભ મળે છે.
- નવરાત્રિમાં નવ દિવસ સુધી જ્યાં મા દુર્ગાની મૂર્તિ અને કળશ સ્થાપિત કરવામાં આવે છે, ત્યાં લાલ ફૂલોથી શણગાર કરવો જોઈએ.
- માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની પૂજા કરતા સમયે મનમાં ખરાબ વિચારો ન આવવા જોઈએ.આ દરમિયાન મનમાં સાત્વિક વિચારો રાખીને મા દુર્ગાની પૂજા કરવી જોઈએ.
- નવરાત્રિના નવ દિવસ સુધી ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘરના તમામ સભ્યો ઓછામાં ઓછા એક વખતની આરતી સમયે હાજર રહે.
- નવરાત્રિના નવમા દિવસે કન્યાની પૂજા અવશ્ય કરવી જોઈએ. જણાવી દઈએ કે કન્યાની પૂજા પછી જ જ નવરાત્રિની પૂજા પૂર્ણ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ