બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Premal
Last Updated: 08:14 PM, 21 October 2022
ધનના દેવ ભગવાન કુબેરની પૂજા કરવાનુ વિધાન
હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની સાથે ધનના દેવ ભગવાન કુબેરની પૂજા કરવાનુ વિધાન છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે સમુદ્ર મંથન દરમ્યાન ધન્વંતરિ અમૃત કળશની સાથે પ્રગટ થયા હતા.
અષ્ટલક્ષ્મી કુબેર મંત્ર
ઓમ ર્હીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ લક્ષ્મી મમ ગૃહે ધનં પુરય પુરય નમ: ||
જાપ વિધિ- કુબેર દેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ મંત્ર ફળદાયી માનવામાં આવે છે. ધનતેરસના દિવસે જો તમે આ મંત્રનો જાપ કરો છો તો તમને ધન, પદ, પ્રતિષ્ઠા, સન્માન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
અમોઘ મંત્ર
ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વવણાય ધનધાન્યાધિપતયે
ધનધાન્યસમૃદ્ધીં મે દેહિ દાપય સ્વાહા ||
જાપ વિધિ- આ મંત્રનો જાપ દક્ષિણ દિશા બાજુ મોંઢૂ કરીને 108 વખત કરવુ લાભકારી હોય છે. જાપ કરતી સમયે અમુક કોડી પોતાની પાસે રાખો.
ધન પ્રાપ્તિનો મંત્ર
ઓમ શ્રીં ર્હીં ક્લીં શ્રીં ક્લીં વિત્તેશ્વરાય નમ: ||
જાપ વિધિ- ધનતેરસ પર કુબેર દેવની પૂજા બાદ આ મંત્રનો જાપ કરો. જેનાથી ધનની કમી ક્યારેય થતી નથી અને વ્યક્તિ બધા ભૌતિક સુખને પ્રાપ્ત કરે છે.
પંચ ત્રિંશદક્ષર મંત્ર
ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વવણાય ધન ધાન્યાધિપતયે ધનધાન્યા સમૃદ્ધી દેહિ દાપય સ્વાહા ||
જાપ વિધિ- આ મંત્રનો જાપ કરવાથી અનંત વૈભવ અને ધનની પ્રાપ્તિ થાય છે. દક્ષિણ દિશા બાજુ મોંઢૂ રાખીને આ મંત્રનો જાપ કરવાથી આ સિદ્ધ થાય છે.
અષ્ટાક્ષર મંત્ર
ઓમ વૈશ્રવણાય સ્વાહા: ||
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ