બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / delhi new covid guidelines private restaurants and offices will be closed work from allowed
Mayur
Last Updated: 11:36 AM, 11 January 2022
દિલ્હીમાં કોરોનાના નવા કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, ઓમિક્રોનથી સંક્રમણ દર પણ બેકાબૂ બની રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણ દર 25% પર પહોંચતા દિલ્હીના લોકોની ચિંતા વધી ગઈ છે.
દિલ્હીના LG અનિલ બૈજલે DDMA સાથે બેઠક કરી છે. આજે 12 વાગે સીએમ અરવિંદ કેજરીવાલ મીડિયાને સંબોધન કરવાના છે.
દિલ્હીમાં નિયમો કડક
ડીડીએમએની બેઠકો અને ચેતવણીઓ બાદ અહીં કડકાઈ વધી રહી છે. કેટલાક આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરના રેસ્ટોરાં અને બારને બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે, જોકે ટેક-અવે પર કોઈ પ્રતિબંધ નથી.
દિલ્હીનું કોરોના બુલેટિન સતત ખતરનાક વળાંક લઈ રહ્યું છે, આવી સ્થિતિમાં દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉનની અટકળો થઈ રહી છે. જોકે, સીએમ કેજરીવાલ સહિત દિલ્હી સરકારના નેતાઓ સતત લોકડાઉન નહીં લાગુ કરવાની વાત કરી રહ્યા છે. પરંતુ જો સંક્રમણ દર આ જ રીતે વધતો રહેશે, તો લોકડાઉન જેવા નિયંત્રણો લાદવામાં આવી શકે છે. માર્કેટમાં કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
All private offices in Delhi shall be closed, except those which are falling under the exempted category; work from home shall be followed. All restaurants & bars shall be closed, takeaways allowed: DDMA in its revised guidelines pic.twitter.com/Or74McCXKI
— ANI (@ANI) January 11, 2022
આ નિર્ણયો શું દર્શાવે છે?
રેસ્ટોરન્ટ અને બાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લોકો અહીં બેસીને ખાઈ શકશે નહીં. સાપ્તાહિક બજારો અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અઠવાડીયામાં એકાંતરે એક ઝોનમાં માત્ર એક જ સાપ્તાહિક બજાર ઊભું કરવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે અગાઉ સાપ્તાહિક બજારો પર કોઈ પ્રતિબંધ ન હતો.માર્કેટમાં કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
હવે આગળ શું થશે?
શક્યતાઓ જોતાં હવે તમામ ખાનગી ઓફિસો સંપૂર્ણપણે બંધ કરાવાય તેવી શક્યતા છે. માત્ર આવશ્યક સેવાઓ ધરાવતી કચેરીઓ જ ખોલવામાં આવશે. કોઈ પણ સંજોગોમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કરવામાં આવશે.
આજની કોન્ફરન્સ પર નજર
આવી સ્થિતિમાં તમામની નજર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આજની પ્રેસ કોન્ફરન્સ પર છે. આમાં કેજરીવાલ નવા પ્રતિબંધો વિશે પણ કહી શકે છે. જો કે શક્યતા પણ ઓછી છે કારણ કે આ પહેલા ખુદ કેજરીવાલે લોકડાઉન લગાવવાની વાતને ફગાવી દીધી છે.
દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સોમવારે દિલ્હીમાં કોરોનાના 19 હજાર 166 નવા કેસ નોંધાયા હતા. 17 દર્દીઓના મોત પણ થયા છે. હવે દિલ્હીમાં સંક્રમણ દર વધીને 25 ટકા થઈ ગયો છે. દિલ્હીમાં હાલમાં 65 હજાર 806 એક્ટિવ કેસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ