- બિપોરજોય વાવાઝોડું 15 જૂનનાં ગુજરાતમાં અથડાશે
- PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી
- કચ્છમાં આશરે 8000 લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું
અરબ સાગરમાં ચક્રવાતી વાવાઝોડું બિપરજોય તટીય વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળશે. ત્યારે દેશનાં PM નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાતચીત કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. PM મોદીએ આ આપત્તિની સ્થિતિમાં કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદ ફાળવવાની વાત કરી હતી. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં આપત્તિ વ્યવસ્થાપન મંત્રીઓ સાથે બેઠક કરી હતી.
બિપોરજોયને લઈને 20 મોટા અપડેટ્સ
- હવામાન વિભાગનાં અપડેટ અનુસાર વાવાઝોડાની સ્પિડમાં થોડો ઘટાડો નોંધાયો છે. તેની ગતિ પહેલાં 167 કિમી પ્રતિ કલાક હતી જે ઘટીને 157 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે. આ ચક્રવાત સંભવત: 120 કિમી પ્રતિ કલાકની ગતિએ ગુજરાતનાં તટને અથડાઈ શકે છે.
- ચક્રવાત બિપોરજોયનાં પ્રભાવને ઓછું કરવા માટે ભારત સરકાર, રાજ્ય સરકાર, ભારતીય વાયુસેના,નૌસેના, તટ રક્ષકો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સહિત તમામ એજન્સીઓ મળીને કામ કરી રહી છે.
- આ વાવાઝોડાથી પ્રભાવિત થઈ શકે તેવા 8 જિલ્લાઓમાં NDRFની 17 અને SDRFની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે. કચ્છમાં NDRFની 4 ટીમ, દ્વારકામાં 3, રાજકોટમાં 3, જામનગરમાં 2, જૂનાગઢ, પોરબંદર, ગિરસોમનાથ, મોરબી અને વલસાડમાં 1-1 ટીમ તૈનાત છે.
- જૂનાગઢ જિલ્લામાં 500, કચ્છમાં 6786, જામનગરમાં 1500, દ્વારકામાં 4820, ગિરસોમનાથમાં 408, મોરબીમાં 2000 અને રાજકોટમાં 4031 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
- બિપોરજોયનાં કારણે હવામાન વિભાગે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છનાં કિનારાનાં વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ જિલ્લાનાં નલિયામાં હળવો વરસાદ આવી રહ્યો છે.
- કચ્છમાં 1.5થી 2 લાખ નાનાં પ્રાણીઓને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યાં છે. માહિતી અનુસાર અત્યાર સુધી 8000 લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે.
- ભારતીય તટરક્ષક બળનાં ALH ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા ગુજરાતનાં ઓખા પાસે દ્વારકાનાં તટથી 50 જેટલા કર્મીઓનો રેસક્યૂ કરવામાં આવ્યો.
- ગુજરાત સરકારે કચ્છ, જામનગર, દ્વારકા અને જૂનાગઢમાં સ્કૂલોમાં 15 જૂન સુધી રજા જાહેર કરવામાં આવી છે. 12 જૂનથી 15 જૂન સુધી શાળાઓમાં રજા.
- હવામાન વિભાગ અનુસાર બિપોરજોય 15 જૂન સાંજ સુધીમાં ગુજરાતનાં જખૌ બંદરની પાસે અથડાશે જે બાદ આ ભયંકર વાવાઝોડું થોડું શાંત થઈ શકે છે.
- બિપોરજોયને ધ્યાનમાં રાખતાં મુંબઈનાં જૂહુ બીચ પર લાઈફગાર્ડ તૈનાત કરવામાં આવ્યાં છે જેથી જનતા સમુદ્રમાં ન જાયે.
- ગુજરાતમાં કંડલા પોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. બંદરથી જનારી હજારો ટ્રકોને ગાંધીધામમાં રાખી દેવામાં આવી છે.
- સાયક્લોનનો સામનો કરવા માટે મુંબઈ ઈંટરનેશનલ એરપોર્ટ પર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતથી મહારાષ્ટ્ર સુધીનાં તટીય વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
- ગુજરાતનાં ગિરનાં જંગલોમાં સિંહોને સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવ્યાં છે અને 300 જેટલા ટ્રેકર્સ આ સિંહોની મૂવમેન્ટ પર નજર રાખી રહ્યાં છે.
- ગિરનાર રોપવે બંધ કરી દેવામાં આવ્યું છે. જામનગરનાં ઐતિહાસિક રેલ્વે સ્ટેશનની જર્જરિત ઈમારતને મહાનગરપાલિકાએ તોડી નાખી છે. બિપોરજોયની સંભવિત અસરને ધ્યાનમાં રાખતાં 150 વર્ષ જૂનાં રેલ્વે સ્ટેશનની આ ઐતિહાસિક ઈમારતને તોડી દેવામાં આવી.
- Biparjoyનો અર્થ થાય છે ડિઝાસ્ટર એટલે કે આપદા. બિપોરજોય નામ બાંગ્લાદેશે આપ્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં જેટલા પણ ચક્રવાત આવે છે તેનાં નામ વારાફરતી આ વિસ્તારનાં દેશ રાખે છે. આ સિસ્ટમ વર્ષ 2004 થી ચાલી રહી છે.
- મોરબીમાં તમામ સિરેમિક પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યાં છે. મોરબી સિરેમિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનની તરફથી તમામ યૂનિટ્સને બંધ કરી દેવાની સૂચના અપાઈ છે.
- IMDએ બિપોરજોયથી 15 જૂનનાં સૌથી વધુ ખતરો જણાવ્યો છે. આ દિવસે તમામ લોકોએ ખાસ ઘરની અંદર સુરક્ષિત રહેવાની એડવાઈઝરી આપવામાં આવી છે.
- ચક્રવાત આવવાને લીધે ઝાડ, ઈલેક્ટ્રિસિટીનાં થાંભલા, સેલફોન ટાવર ઊખડી શકે છે જેથી લાઈટ અને કોમ્યૂનિકેશન સંબંધિત તકલીફો આવી શકે છે.
- બિપોરજોયનાં લીધે પશ્ચિમ રેલ્વેની 137 ટ્રેનો પ્રભાવિત થઈ છે જેને લીધે 17 જૂન સુધી રેલ્વે દ્વારા કેટલીક ટ્રેનો રદ તો કેટલીક શોર્ટ-ટર્મિનેટ કરી દેવામાં આવી છે.
- પાકિસ્તાનનાં હવામાન વિભાગે કરાંચીમાં વાદળ ફાટવા જેવી ઘટનાઓની સંભાવના જણાવી છે. એટલું જ નહીં સિંધમાં ઈમેરજેન્સી ઘોષિત કરવામાં આવી છે.પાકિસ્તાનમાં રેસક્યૂ માટે સેનાને તૈનાત કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 80 હજાર લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યાં છે.