બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Hiren
Last Updated: 02:03 PM, 13 April 2020
ચિકિત્સા વિજ્ઞાનની આ ટેકનિક ખુબજ બેસિક છે. તેનો ઉપયોગ સમગ્ર દુનિયા કરી શકે છે. આનાથી હકીકતમાં લાભ થતો જણાય આવે છે. આ ટેકનીક ભરોસાપાત્ર પણ છે. વૈજ્ઞાનિક જૂના દર્દીઓના લોહીથી નવા દર્દીઓની સારવાર કરવાની ટેકનિકને કોવૈલેસેન્ટ પ્લાઝ્મા કહે છે.
અમેરિકામાં વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોએ મળીને આ રસ્તો અપનાવ્યો છે. તેનું માનવું છે કે સારવારની આ પરંપરિક પદ્ધતિ ખુબ જ કારગર છે. કોવૈલેસેન્ટ પ્લાઝ્મા ટેકનિક દ્વારા કેટલીક બિમારીઓ ઠીક કરી ચૂકાઇ છે. આના નવા દર્દીઓના લોહીમાં જૂની રીતે ઠીક થયેલા દર્દીનું લોહી નાખીને પ્રતિકારક ક્ષમતા વધારવામાં આવે છે.
અમેરિકાના હ્યૂસ્ટનમાં આવેલ બેલર સેન્ટ લ્યૂક મેડિકલ સેન્ટરમાં પાંચ લોકો દાખલ હતા. આ સેન્ટરમાં ચાલનાર બેલર કોલેજ ઓફ મેડિસિનના ઉપાદ્યક્ષ અશોખ બાલાસુબ્રમણ્યમે જણાવ્યું કે, અમે પાંચ લોકોની સારવાર કોવૈલેસેન્ટ પ્લાઝ્મા પદ્ધતિથી કરી છે. પાંચેય હવે સ્વસ્થ છે.
અશોકે જણાવ્યું કે અમારી કોલેજને ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી પણ મળી છે. આને અમે આગામી અઠવાડિયાથી શરૂ કરીશું. આ પહેલા જે પાંચ લોકો ઠીક થયા છે. જેમાં ત્રણ મૂળ ભારતીય છે. બે અમેરિકન છે. હવે અમે આ લોહીથી પ્લાઝ્મા લઇને અન્ય લોકોને ઠીક કરીશું. પછી તેનું લોહી લઇશું. આ પ્રમાણે આગળ વધતા જઇશું.
અશોકે જણાવ્યું કે હજુ કોરોના વાયરસની વેક્સીન બનવામાં અંદાજિત 12થી 18 મહિના લાગશે. ત્યાં સુધી આ રસ્તો લોકોને બચાવવા માટે સૌથી સારો છે. આ પદ્ધતિ એશિયાઈ દેશોમાં પણ ઘણા વર્ષોથી ચાલી રહી છે.
ધ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને હજુ સુધી આ પદ્ધતિથી કોરોનાની સારવાર માટે પ્રમાણિત નથી કર્યું પરંતુ આ પ્રમાણે અન્ય બિમારીઓની સારવાર થાય છે.
આ પહેલા, ચીને ધ શેનઝેન થર્ડ પીપુલ્સ હોસ્પિટલે સારવાર આ પ્રકારના રિપોર્ટ 27 માર્ચે રજૂ થવાની હતી. હોસ્પિટલ તંત્રએ જણાવ્યું કે, જે પાંચ દર્દીઓની સારવાર જૂના કોરોના દર્દીઓના લોહીથી કરવામાં આવી હતી, જે 36થી 73 વર્ષ વચ્ચે હતા.
આ ટેકનિકમાં લોહની અંદર વાયરસથી લડવા માટે એન્ટીબોડી બની જાય છે. આ એન્ટીબોડી વાયરસથી લડીને તેને હરાવી દે છે. કે પછી દબાવી દે છે. શેનઝેન થર્ડ હોસ્પિટલમાં સંક્રમણ બિમારીઓનું અધ્યયન માટે નેશનલ ક્લીનિકલ રિસર્ચ સેન્ટર પણ છે.
ચીનની હોસ્પિટલના ઉપ નિદેશક લિઉ યિંગજિયાએ જણાવ્યું કે, અમે 30 જાન્યુઆરીથી જ કોરોનાથી ઠીક થયેલા દર્દીઓને શોધવાના શરૂ કરી દીધા હતા. તેમનું લોહી લીધું અને પ્લાઝ્મા કાઢીને સ્ટોર કરી લીધો. જ્યારે નવા દર્દી આવ્યા તો તેમને આ પ્લાઝ્માનો ડોઝ આપવામાં આવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ