બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Gayatri
Last Updated: 06:10 PM, 9 August 2020
મુંબઈ મનપાના એડિ. મ્યુ. કમિશનર સુરેશ કાકાનીએ જણાવ્યું હતું કે, અમે AL-based વોઈસ સેમ્પલિંગ એપ્લિકેશનના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરી દીધી છે. ગોરેગાંવમાં નેશ્કો ફેસિલિટીમાં 1000 જેટલા કોરોના શંકાસ્પદ અને પોઝિટિવ વ્યક્તિઓ ઉપર પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રયોગ કરીશું.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આ પહેલા યુરોપના ફ્રાન્સ અને ઈટાલીમાં કોરોનાના દર્દીઓની ટેસ્ટિંગ માટે વોઈસ એનાલિસિસનો ઉપયોગ કરાયો હતો. હવે નવી મુંબઈની એન્જિનિયરિંગ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓના એક ગ્રુપે હાલમાં જ કોરોના શંસ્કાપદ 2008 વોઈસ સેમ્પલિંગનું એનાલિસિસ આપ્યું હતું.
નવા એન્ટિજેન ટેસ્ટમાં 30 મિનિટમાં પરિણામ
બીજી તરફ RT-PCR ટેસ્ટથી પરિણામ આવતા એવરેજ 24 કલાક લાગતા હોય છે, જ્યારે BMCના નવા એન્ટિજેન ટેસ્ટમાં 30 મિનિટમાં પરિણામ આવે છે. જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલોમાં કરાતા રેપિડ એન્ટીબોડી બ્લડ ટેસ્ટથી પણ ઝડપથી દર્દી કોરોના સંક્રમિત છે કે નહીં જાણી શકાય છે. જોકે આ ટેસ્ટ કેટલો અસરકારક છે તેના પર ઘણા સવાલો છે.
વોઈસ એનાલિસિસ મેથડ વધારે સેન્સિટિવ નથી
BMC સાથે જોડાયેલા એક ડોક્ટરે જણાવ્યું કે, વોઈસ એનાલિસિસ મેથડ વધારે સેન્સિટિવ નથી. તેનાથી ઘણા સકારાત્મક પરિણામો આવી શકે છે. BMCના અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર વોઈસ એનાલિસિસ પ્રોજેક્ટ તેમની પહેલ છે અને IITની ટીમ તેમને મદદ કરી રહી છે.
સ્માર્ટફોન કે કોમ્પ્યુટરમાં રહેલી એપમાં બોલવાથી થઈ શકશે ટેસ્ટ
આ ટેસ્ટમાં વ્યક્તિએ સ્માર્ટફોન કે કોમ્પ્યુટરમાં રહેલી એપમાં બોલવાનું હોય છે. આ એપ્લિકેશનમાં પહેલાથી હજારો કોવિડ-19 અને શ્વાસને લગતી અન્ય સમસ્યાના દર્દીઓના વોઈસ ડેટા મૂકેલા છે, વ્યક્તિનું વોઈસ રીડિંગ આ ડેટાબેઝ સાથે રન કરીને સ્થિતિને ડિટેક્ટ કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ