બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 'Congress will not bow down, the mentality that it will happen as I want it is wrong': Congress leaders aggressive on Dinesh Sharma's resignation
Mehul
Last Updated: 09:08 PM, 23 February 2022
અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષનાં નેતા તરીકે ટર્મ પૂરી કરનારા દિનેશ શર્માએ બગાવતી તેવર દર્શાવતા કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું. પ્રદેશ કોન્ગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ ભાજપામાં જતા હવે નગર કક્ષાએ કોંગ્રેસમાં વિરોધી બ્યુગલ ફૂંકાવા લાગ્યા છે. દિનેશ શર્મા એ કોંગ્રેસ છોડતા ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પર આરોપ લગાવ્યા હતા. દિનેશ શર્માના આરોપો બાદ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ દિનેશ શર્માને ઓળખ આપી લાયક બનાવ્યા છે. પાર્ટીમાં અવગણના હોય તો આંતરિક ચર્ચા કરવી જોઈએ. આજે તેમના નિવેદન અપરિપક્વ અને સંસ્કારહીન છે. હિંમત સિંહે કહ્યું કે, મર્યાદિત સીટોમાં લોકો મનમાની કરે એ ન ચલાવી લેવાય. હોદ્દા, ટિકિટોમાં ક્યારેક ને ક્યારેક બ્રેક લાગતી હોય છે. અનેક દાવેદારો વચ્ચે પદ તો કોઈ એકને જ મળે છે. પદ ન આપે એટલે પાર્ટી વિશે એલફેલ બોલવું અયોગ્ય છે. એવું તો શું થઈ ગયું કે તમે તાત્કાલિક બદલાઈ ગયા.
તો દિનેશ શર્મા ના રાજીનામાં બાદ કોંગ્રેસ નેતાઓ આક્રમક પ્રતિક્રિયા આપી રહ્યા છે. હિંમતસિંહ પટેલ બાદ ઇન્દ્રવિજયસિંહ ગોહિલનું દિનેશ શર્મા પર નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દિનેશ શર્માને કોંગ્રેસે 5 વાર મનપામાં ટીકીટ અને કમિટીમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ કોંગ્રેસમાં હું ઈચ્છું એટલું જ થાય એ માનસિકતા ખોટી છે. મનમાની કરનાર નેતાઓને કોંગ્રેસ તાબે નહીં થાય. આમ જુઓ તો રાહુલ ગાંધી તાલુકા કક્ષાના નેતાઓને પણ દ્વારકામાં મળવાના જ છે. દિનેશ શર્મા ઈચ્છે તો દ્વારકામાં રાહુલ ગાંધી સાથે વાત કરી શક્યા હોત.પરંતુ તેઓ પહેલા થી જ નક્કી કરી ચુક્યા હતા એટલે આવી નિવેદનબાજી કરે છે. રાહુલ ગાંધી, રઘુ શર્મા વિશે આવા નિવેદનો ક્યારેય ચલાવી ના લેવાય અને કોંગ્રેસ આવા નેતાઓના દબાવમાં નહીં આવે. અત્યાર સુધી તેઓ દબાણ ની રાજનીતિ કરી શકતા હતા પરંતુ હવે લડવાની માનસિકતા ના ધરાવનાર સામે કોંગ્રેસ ઝુકશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir