બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / congress mp ripun bora wrote a letter to pm modi demanding a probe into the citizenship of union minister nisith pramanik

માગ / શું મોદી સરકારના આ મંત્રી બાંગ્લાદેશી નાગરિક છે? કોંગ્રેસના સાંસદે PMOને પત્ર લખીને તપાસની કરી માગ

Bhushita

Last Updated: 08:50 AM, 18 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભાના સાંસદ અને આસામ કોંગ્રેસના અધ્યક્ષ રિપૂન બોરાએ કેન્દ્રીય મંત્રી નિશિથ પ્રામાણિકની નાગરિકતા પર તપાસની માંગને લઈને પીએમ મોદીને લખ્યો પત્ર.

  • કેન્દ્રીય મંત્રી નિશિથ પ્રામાણિકની નાગરિકતાને લઇ વિવાદ
  • કોંગ્રેસ સાસંદ રિપુન બોરાનો PM મોદીને પત્ર
  • નાગરિકતાને લઇ તપાસની માગ

કેન્દ્રીય મંત્રી નિશિથ પ્રામાણિકની નાગરિકતાને લઇને વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ સાસંદ રિપુન બોરાએ PM મોદીને પત્ર લખ્યો છે અને સાથે જ મંત્રી નિશિથ પ્રામાણિકની નાગરિકતાને લઇ તપાસની માગણી પણ કરી છે. મંત્રી નિશિથ પ્રામાણિક બાંગ્લાદેશી નાગરિક હોવાનું સાંસદ રિપુન બોરાનું કહેવું છે. નિશિથ પ્રામાણિકને લઇ દેશમાં અનેક ચર્ચાઓ છે અને સાથે તેઓ બંગાળના કૂચબિહારથી સાંસદ છે. મોદી સરકારમાં નિશિથ પ્રામાણિક કેન્દ્રીય રાજ્ય મંત્રી છે.

કોંગ્રેસ સાસંદ રિપુન બોરાએ શું લખ્યું છે પત્રમાં
તેઓએ પીએમ મોદીને પત્રમાં લખ્યું છે કે હું તમને નિશિથ પ્રામાણિકના વાસ્તવિક જન્મ સ્થાન અને નાગરિકતાના વિશે પારદર્શી રીતે તપાસ કરવા અને આ મુદ્દાને સ્પષ્ટ કરવાનો આગ્રહ કરું છે કેમકે તેનાથી દેશમાં ભ્રમ ફેલાઈ રહ્યો છે. 

 

બંગાળના કૂચબિહારથી સાંસદ છે નિશિથ પ્રામાણિક
નિશિથ પ્રમાણિક બંગાળના કૂચબિહારથી સાંસદ છે. આ પહેલા તેઓ તૃણમૂલ કોંગ્રેસનો ભાગ રહી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી પહેલા પ્રામાણિકે ટીએમસીથી રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા હતા. હાલમાં થયેલા નવા વિસ્તારમાં તેમને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બનાવાયા છે. આસામમાં રાજ્યસભા સાંસદ રિપૂન બોરાએ તેની પર પ્રશ્નો કર્યા છે અને એક બાંગ્લાદેશી ફેસબુક પેજ દ્વારા પ્રામાણિકને રાજ્યમંત્રી બનાવવાને લીને અભિનંદન આપ્યા અને તેને બાંગ્લાદેશનો દીકરો કહેવાની લેઈને આ વિવાદ શરૂ થયો છે. 

શું લખ્યું છે રિપૂન બોરાએ ટ્વિટમાં
તેઓએ લખ્યું કે આ ચિંતાનો વિષય છે. આ એક વિદેશી નાગરિક કેન્દ્રીય મંત્રી બન્યા છે. પત્રમાં પીએમ મોદીને તેને સ્પષ્ટ રીતે તપાસના આગ્રહ કર્યા છે. બોરાએ દાવો કર્યો કે પ્રામાણિકનો જન્મ બાંગ્લાદેશના ગૈબાંઘા જિલ્લાના પલાસબારી પોલિસ સ્ટેશનના હરિનાથપુરમાં થયો હતો. તેઓએ કહ્યું કે તેઓ કમ્પ્યુટરના અભ્યાસ માટે પ. બંગાળ આવ્યા હતા. 

પ્રામાણિકના નજીકના સૂત્રોએ વાતનું કર્યું ખંડન
કોંગ્રેસ સાંસજનો દાવો છે કે કમ્પ્યુટરની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ ટીએમસી અને પછી ભાજપમાં સામેલ થયા. અંતમાં તેઓ એક સાંસદના પદ સુધી પહોંચ્યા. પ્રામાણિકના નજીકના સૂત્રોએ આ રીતના આરોપોનું ખંડન કર્યું છે અને દાવો કર્યો છે કે મંત્રીનો જન્મ, પાલન પોષણ અને શિક્ષણ ભારતમાં થયું છે. શનિવાર રાત સુધી ગૃહમંત્રાલયની વેબસાઈટ પર મંત્રઈના લિસ્ટમાંથી પ્રામાણિકનું નામ અને ફોટો ગાયબ રહ્યો છે. રાજ્ય મત્રીની લિંક પર નિત્યાનંદ રાય અને અજયકુમાર મિશ્રાનો જ ફોટો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ