બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM RUPANI EXPRESSES GRIEF OVER THE BHARUCH FIRE
Parth
Last Updated: 02:49 PM, 1 May 2021
Update:
ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગ લાગવાનો મામલો : ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો, 16 દર્દીઓ અને 2 નર્સિંગ સ્ટાફના થયા મૃત્યુ
મૃતકોના પરિજનોને 4 લાખની અપાશે સહાય
ગુજરાત કોરોના વાયરસની ભયંકર મહામારીથી પીડાઈ રહ્યું છે અને એમાં મોતની આગ લોકોના જીવ લઈ રહી છે. ભરૂચમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 14 દર્દી એનએ 2 નર્સિંગ સ્ટાફ જીવતા હોમાઈ ગયા હતા ત્યારે સીએમ રૂપાણી દુ:ખ વ્યક્ત કરીને 4 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.
PM મોદીએ વ્યકત કર્યું દુ:ખ
PM મોદીએ ભરૂચમાં લાગેલી આગ પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું ભરૂચમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાને લઈને દુ:ખી છું, શ્રદ્ધાંજલિ.
ભરૂચની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ #Bharuch #Gujarat #PMModi pic.twitter.com/MMkrwftvaH
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 1, 2021
CM રૂપાણીએ મૃતકોના પરિવારજનોને પાઠવી સાંત્વના
CM રૂપાણીએ ટ્વિટ કરીને કહ્યું કે ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દર્દીઓ, ડૉક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે
ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દર્દીઓ, ડૉક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે.
— Vijay Rupani (@vijayrupanibjp) May 1, 2021
14 દર્દી અને 2 કર્મચારીના મૃત્યુ
ભરૂચ શહેર ની ઘી બોમ્બે પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતેના કોવિડ વોર્ડમાં આવેલ ICU વિભાગ ખાતે મોડી રાત્રીના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,આગ લાગવાની ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે,તો 16 લોકો આ ભીષણ આગમાં જીવતા ભૂંજાઈ ગયા હતા. આગ માટે પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે.
Gujarat: Fire broke out at a #COVID19 care centre in Bharuch last night. 16 people, including 14 patients, died in the incident. pic.twitter.com/gbbLZzML6I
— ANI (@ANI) May 1, 2021
દુર્ઘટના સમયે હોસ્પિટલમાં 58 જેટલા દર્દી દાખલ હતા
કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાના પગલે દર્દીઓના સ્વજનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ધસી ગયા હતા અને સમગ્ર ઘટનામાં દર્દીઓને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી,આગ લાગ્યા ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગ આ થતા ફાયર ની 5થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી,સાથે જ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી.
વેન્ટીલેટર, ઓક્સિજન સિસ્ટમ સહિતના સાધન આગમાં બળીને ખાખ
હોસ્પિટલના આઈ સી યુ વિભાગમાં ઘટના સમયે હોસ્પિટલ માં 58 જેટલા લોકો દાખલ હતા,જેમાંથી 14 જેટલા દર્દીઓ અને 2 હોસ્પિટલ સ્ટાફની નર્સનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટનામાં ઘાયલ અનેક લોકોને ભરૂચ જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં રેસ્ક્યુ કામગીરી હાથધરી વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે ભરૂચ ન ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ,નગર પાલિકા ના પ્રમુખ અમિત ચાવડા સહિત ના આગેવાનો ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ