બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Gayatri
Last Updated: 12:36 PM, 7 March 2021
ગુજરાતના મુખ્યમંત્રી પોતાના પત્ની સાથે અંબાજીમાં માતાના ચરણે શીશઝુકાવવા પહોંચી ગયા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય માટે મા આદ્યાશક્તિનો આભાર માવા CM રૂપાણી પહોંચ્યા હતા. વળી તેઓ પણ કોરોનાનો ભોગ બન્યા હતા અને હેમખેમ તેમાંથી રિકવર પણ થયા હતા. તેનો પણ માતાજી પાસે આભાર માન્યો હતો.
આજે એટલે કે રવિવારે CM રૂપાણી અને તેમના પત્ની અંજલીબેન રૂપાણીએ યાત્રાધામ અંબાજીમાં માં જગદંબાના દર્શને આવ્યા હતા. તેઓ અહીં રાત્રી રોકાણ કર્યુ હતુ. અહીં CM રૂપાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. પોતાના ધર્મ પત્ની સાથે CM રૂપાણીએ વહેલી સવારની મંગળા આરતીમાં ભાગ લીધો હતો.
CM રૂપાણીનું સ્વાગત
CM રૂપાણીનું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખેસ પહેરાવી કુમકુમ તિલક કરી સ્વાગત કરાયુ હતુ અને ત્યાર બાદ મંદિરમાં માતાજીની પૂજા અર્ચના સહિત કપૂર આરતી પણ કરી હતી. અંબાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટના ચેરમેન અને કલેકટર આનંદ પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્મુતિ ચિન્હ અર્પણ કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી માતાજીની ગાદીએ પહોંચી ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા.
અંબાજીમાં રાતવાસો કરી દર્શન સાથે શું કહ્યુ CM રૂપાણીએ?
CM રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે કર્યા મા અંબાના દર્શન કર્યા હતા અને કહ્યું હતુ કે, અંબાજીના વિકાસની દિશામાં કામ થઇ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ