બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM Bhupendra Patel in action mode in case of rain damage, a big decision can be taken today
ParthB
Last Updated: 02:10 PM, 18 September 2021
મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠકનું આયોજન
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્વ પટેલ સરકારના નવા મંત્રીઓએ આજે મંત્રી તરીકેના ચાર્જ સંભાળવાના શરૂ કર્યા છે. બાદ સૌ કોઈ એક્શન મોડમાં આવી ગયાં છે. તેની વચ્ચે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્વ પટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે સાંજે 5 કલાકે રાજ્યમાં વરસાદથી થયેલા નુક્સાનના પગલે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના કૃષિમંત્રી રાધવજી પટેલ સહિત કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ હાજર રહેશે
બેઠકમાં ખેતીમાં થયેલા નુક્સાન અને સર્વેની કામગીરીની સમીક્ષા કરાશે
આ બેઠકમાં CM ભુપેન્દ્વ પટેલ અને કૃષિમંત્રી રાધવજી પટેલે કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત આસ-પાસના વિસ્તારોમાં ખેતીમાં થયેલા નુક્સાન અને સર્વેની કામદગીરીની સમીક્ષા કરશે તેમજ નુકસાનીના અંદાજ પ્રમાણે ખેતી, પશુપાલન અને માલસામાન ને થયેલ નુકસાનીની સહાય ચુકવાય તે અંગે નિર્ણય કરશે
મુખ્ય મંત્રીએ તમામને મદદની ખાતરી આપી હતી
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ બીજા દિવસે જ ભુપેન્દ્વ પટેલે સૌરાષ્ટ્રની મુલાકાતે પહોંચ્યા હતાં અને વરસાદથી સૌથી વધુ અસર પામેલા ગામો જાતે મુલાકત લઈને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી . આ દરમિયાન તેમણે વરસાદથી ગ્રામજનોને થયેલા નુક્સાનની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોની મુલાકત સમયે રાજ્ય સરકાર દ્વારા તમામને મદદની ખાતરી આપી હતી અને ક્હ્યું હતું કે, અસરગ્રસ્ત સહાયથી વંચિત નહી રહે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થતાં ભારે નુક્સાન થયું હતું
એક સપ્તાહ પુર્વે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ હેત વરસાવવાના બદલે વરસાદે રૌદ્ર રૂપ ધારણ કરતા 12 થી 14 કલાક માં જ અંદાજે 17 ઇંચ વરસાદ ખાબકી ગયો પરિણામે વરસાદી પાણીથી રાજકોટ માત્ર નહિ સમગ્ર પંથક જળમગ્ન બની ગયો ગ્રામીણ વિસ્તારમાં લોધિકા,કોટડા સાંગાણી,ગોંડલ જેવા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા,નદીઓ વહેતી હોય તેવા દૃશ્યોનું નિર્માણ થયું હતું.સડકો પર પણ પાણી ફરી વળ્યા હતાં. સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થતાં અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ