બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / CJI Ranjan Gogoi asks SC why Unnao rape victim's letter never reached him
vtvAdmin
Last Updated: 05:37 PM, 31 July 2019
જાન્યુઆરીમાં પીડિતાની માતાએ દાખલ કરી હતી અરજી
આ વર્ષના જાન્યુઆરી મહિનામાં પીડિતાની માતાએ સુપ્રીમ કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવાની અરજી દાખલ કરી હતી. પોતાની અરજીમાં પીડિતાની માતાએ કહ્યું હતું કે આ મામલે ઉત્તર પ્રદેશમાં નિષ્પક્ષ તપાસ થઇ શકશે નહીં. જેના કારણે આ મામલાને લખનઉની જગ્યા દિલ્હીમાં ટ્રાન્સફર કરવામાં આવે.
ચાર આરોપીઓએ નોટિસ રિસીવ કરી નહીં..
પીડિતાની માતાએ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે 16 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશની સરકાર, સીબીઆઇ અને આરોપીઓને નોટિસ પાઠવી હતી. ગત સોમવારે આ મામલો રજિસ્ટ્રારની કોર્ટ સામે આવ્યો અને બહાર આવ્યું કે હજુ સુધી ચાર આરોપીઓએ નોટિસ રિસીવ કરી નથી. આ મામલે સુનાવણી હજુ સુધી થઇ શકી નથી. બધા આરોપીઓને નોટિસ આપ્યા બાદ આ મામલે સુનાવણી હાથ ધરાશે.
ચીફ જસ્ટિસે રજિસ્ટ્રાર પાસે રિપોર્ટ માંગ્યો
આ વચ્ચે મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ રજિસ્ટ્રાર પાસે રિપોર્ટ માગ્યો છે. ચીફ જસ્ટિસે રજિસ્ટ્રારને પૂછ્યું કે ઉન્નાવ પીડિતાની માતાએ ક્યારે પત્ર લખ્યો હતો અને અત્યાર સુધી ન્યાયાધીશોના ધ્યાનમાં આ મામલો કેમ લાવવામાં આવ્યો નથી?
આમ ઉન્નાવ રેપ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રીને એક અઠવાડિયાની અંદર જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પરિવાર દ્વારા 12 જુલાઇએ લખેલા પત્રને રજૂ કરવામાં થયેલા વિલંબને લઇને જવાબ માગ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ