બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Premal
Last Updated: 07:30 PM, 28 November 2021
આ જ કારણ છે કે શિયાળાની સિઝન શરૂ થતાં લોકો એનર્જી અને ઈમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે કાજૂ ખાવાનું શરૂ કરી દે છે. જેમાંથી ઘણાં લોકો એવા હોય છે, જે એક મર્યાદિત માત્રામાં દરરોજ કાજૂનું સેવન કરે છે. બીજી તરફ કેટલાંક લોકો એવા પણ હોય છે, જે આખા દિવસમાં ગમે ત્યારે ગમે તેટલી માત્રામાં કાજૂ ખાતા રહે છે. ઘણી વખત તમારા શરીરને ફાયદો કરનારા કાજૂ તમારા આરોગ્યને બગાડી પણ શકે છે. આવો જણાવીએ કે કાજૂનું અમર્યાદિત સેવન તમારા આરોગ્ય માટે કેટલું ઘાતક છે.
પેટ સાથે જોડાયેલી સમસ્યામાં
જો તમારું પેટ અવાર-નવાર ખરાબ થાય છે અથવા તમને પાચન સંબંધિત સમસ્યા છે. તો તમારે કાજૂનું સેવન ના કરવુ જોઈએ. જેનાથી તમારી મુશ્કેલીમાં વધારો થાય છે અને તમને જાડા, ગેસ અને અપચો જેવી સમસ્યા આમંત્રણ આપી શકે છે.
વજન વધી શકે છે
જો તમારું વજન વધારે છે અથવા તમે વજન ઘટાડવા માંગો છો. તો કાજૂનું સેવન કરવુ તમારા માટે નુકસાનકારક નિવડી શકે છે. ખરેખર, કાજૂમાં કેલેરીની માત્રા પુષ્કળ હોય છે. જેના કારણે તમારું વજન પહેલા કરતા વધારે વધી જાય છે.
એલર્જી થઇ શકે છે
અમુક મામલામાં કાજૂ ખાવાથી તમને એલર્જી પણ થઇ શકે છે. જેને પગલે તમને ઉલ્ટી, ખંજવાળ, જાડા જેવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
માથાનો દુ:ખાવો વધારે છે
કાજૂ ખાવાથી તમને માથાના દુ:ખાવાની સમસ્યા થઇ શકે છે. ખરેખર કાજૂમાં એમીનો અસિડ ટાઇરામિન અને ફેનેંલેથાઇલમાઇન હોય છે, જે તમારા માટે હેડેક વધારી શકે છે. જો તમને અવાર-નવાર માથાના દુ:ખાવો રહે છે અથવા માઈગ્રેનની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છો તો કાજૂનું સેવન તમારા માટે અડચણરૂપ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ