બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / care-rating-forcast-rs-40000-crore-dent-on-indian-economy-due-to-maharashtra-lockdown
Nirav
Last Updated: 09:21 PM, 6 April 2021
દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ હાલમાં મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે, જો કે રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો પહેલાથી જ અમલમાં મૂકી દેવામાં આવ્યા છે, તેમ છતાં કોરોના કેસો નિયંત્રણ બહાર રહેતા લોકડાઉનની ચર્ચાઓ ચાલી રહી છે.
મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે વધુ કેસ
હકીકતે, દેશભરમાં જેટલા પણ કોરોનાના નવા કેસો આવી રહ્યા છે, તેમાંથી અડધાથી વધુ માત્ર મહારાષ્ટ્રમાંથી જ આવી રહ્યા છે, અને 5 એપ્રિલે જ્યારે દેશભરમાં દૈનિક કેસોનો આંકડો 1 લાખને પાર પહોંચી ગયો હતો, ત્યારે પણ એકલા મહારાષ્ટ્રના જ 47 હજાર કેસો હતા. આની પહેલા 4 એપ્રિલના રોજ મહારાષ્ટ્રમાં 57,704 કેસ નોંધાયા હતા. જે ભારતના કોઈ પણ રાજ્યમાં એક દિવસમાં નોંધાયેલા કોરોના કેસોની સૌથી વધુ સંખ્યા છે.
હવે મહારાષ્ટ્રમાં લોકડાઉન જો લાદવામાં આવે તો તેનાથી થનારા આર્થિક નુકસાનનું અનુમાન લગવાઈ રહ્યું છે, અને કેર રેટિંગ્સ નામની એક એજન્સીના જણાવ્યા મુજબ આનાથી દેશને 40 હજાર કરોડ રૂપિયા સુધીનું નુકસાન જઈ શકે છે. રેટિંગ એજન્સીના જણાવ્યા આકલન મુજબ એક મહિનાના લોકડાઉનની સૌથી વધુ અસર ટ્રેડ, હોટેલ અને ટ્રાન્સપોર્ટ સેક્ટર પર પડશે.
40 હજાર કરોડ રૂપિયાનું જીવીએ પ્રભાવિત થઈ શકે છે
રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, હાલના નવા દિશા નિર્દેશો અનુસાર અમારું અનુમાન છે કે જો એક મહિનાનું લોકડાઉન લદાય તો 40 હજાર કરોડ રૂપિયાનું જીવીએ પ્રભાવિત થઈ શકે છે અને જો લોકડાઉન આગળ વધે તો રાજ્યમાં ઉત્પાદન હજુ પણ ઘટી શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ આર્થિક નુકસાનથી ઘરેલુ અર્થતંત્રની સકલ મૂલ્ય વર્ધન એટલે કે GVA ની વૃદ્ધિ 0.32 ટકા ઘટી શકે છે, GSGP અથવા ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના જોવા પ્રમાણે મહારાષ્ટ્ર દેશનું સૌથી મોટું રાજ્ય છે, આમાં મહારાષ્ટ્રનું યોગદાન 15 ટકા જેટલું છે.
આ સિવાય રેટિંગ એજન્સીએ એમમપં જણાવ્યું હતું કે આનાથી ટ્રેડ, હોટેલ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરને 15772 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. તે જ સમયે પબ્લિક એડમિનિસ્ટ્રેશનને 8192 અને રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસને 9885 કરોડનું નુકસાન થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ