બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Dhruv
Last Updated: 07:26 AM, 27 July 2022
બોટાદમાં કથિત લઠ્ઠાકાંડમાં હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. જો કે, અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે જેમાં બરવાળા CHC સેન્ટરમાં એકનું મોત નિપજ્યું છે. ભાવનગરમાં પણ સારવાર લઇ રહેલા લોકોના મોત થયા છે. બરવાળા CHC સેન્ટરમાં 29 લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા.
જો કે, બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ બાદ વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. આ મામલે મોડી રાત્રે બોટાદ કલેક્ટર બરવાળા પહોંચ્યા હતા. તેઓએ બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. ઝેરી દારૂથી અસરગ્રસ્ત દર્દીઓની સારવાર અંગે પણ તેઓએ માહિતી મેળવી હતી. મોડી રાત સુધી અસરગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવાનું ચાલુ હતું. કલેક્ટર બીજલ શાહે પણ સરકારી હોસ્પિટલ પર સમીક્ષા બેઠક કરી અધિકારીઓ સાથે સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
બોટાદમાં કથિત લઠ્ઠાકાંડની તપાસ માટે SITની રચના કરાઇ
વધુમાં બોટાદમાં કથિત લઠ્ઠાકાંડની તપાસ માટે SITની પણ રચના કરાઇ છે. ત્યારે DySPની અધ્યક્ષતામાં SIT આ સમગ્ર મામલે તપાસ કરશે. કથિત લઠ્ઠાકાંડમાં મહિલા સહિત 5 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. હાલમાં પોલીસની ટીમ દ્વારા પણ જુદા-જુદા ગામમાં તપાસ હાથ ધરાઇ રહી છે. પરંતુ ઝેરી દારૂની સૌથી વધુ અસર રોજિદ ગામમાં જોવા મળી રહી છે.
કથિત લઠ્ઠાકાંડમાં વપરાયેલ કેમિકલ ચોરીનું હોવાનો ખુલાસો: SP
કથિત લઠ્ઠાકાંડ મામલે બોટાદ SP કરણરાજસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું કે, 'કથિત લઠ્ઠાકાંડમાં વપરાયેલ કેમિકલ ચોરીનું હોવાનો ખુલાસો થયો છે. દારુમાં વપરાયેલ કેમિકલ ચોરી કરાયું હતું. લાંભા અટકાયત કરવામાં આવેલ શખ્સ આ કેમિકલ ચોરી કરીને લાવ્યો હતો. હાલમાં આ મામલે રાણપુર અને બરવાળા ગામે તપાસ ચાલી રહી છે. દેશી દારુને લઇ સ્થાનિક PIને તપાસ માટેના આદેશ પણ અપાયા છે.
જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે: વિનુ મોરડીયા
કથિત લઠ્ઠાકાંડ બાબતે બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી વિનુ મોરડીયાએ પણ નિવેદન આપતા જણાવ્યું કે, 'સમગ્ર કાંડ મામલે પોલીસની કાર્યવાહી ચાલુ છે. રાજ્ય ગૃહમંત્રી સાથે ટેલિફોનીક વાતચીત પણ કરાઇ. જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે. જે ઘટના બની છે તે ખૂબ જ દુ:ખદ બાબત છે. સરકાર તમામ પ્રયાસ કરે છે આ પ્રકારના કેફી પદાર્થો રાજ્યમાં ન આવે. સાથે આ પ્રકારની જે ઘટના ઘટી છે તે ચલાવી નહીં લેવાય.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir