બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Divyesh
Last Updated: 10:58 AM, 8 October 2019
બોરતળાવમાંથી પાણી વહેતું કરી દેવાતાં વિપક્ષનો વિરોધ
6 વર્ષ બાદ ભરાયેલા બોરતળાવમાંથી દુખીશ્યામ બાપા આશ્રમ પાછળ આવેલા વેસ્ટવીયરના દરવાજા ખોલી તેમાંથી હજારો લીટર પાણી વહેતું કરી દેવાતાં વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
મનપાના વિપક્ષ નેતાએ લગાવ્યો આક્ષેપ
બોરતળાવમાંથી વેસ્ટવીયરના દરવાજા ખોલી હજારો લીટર પાણી છોડવામાં આવ્યું હોવાનો ભાવનગર મહાનગર પાલિકાના વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે. જેમાં જણાવ્યું કે બોરતળાવ કાલી કરવાનું આ એક ષડયંત્ર છે.
વોટર વર્કસ અધિકારીએ આક્ષેપને રદ્દિયો આપ્યો
મનપાના વિપક્ષ નેતા દ્વારા બોરતળાવને ખાલી કરવાના લગાવેલા આક્ષેપને લઇને વોટર વર્કસના અધિકારીને પૂછવામાં આવતાં તેઓએ જણાવ્યું કે, બોરતળાવમાંથી એક પણ ઇંચ પાણી ઓછું થયું નથી. જેટલી આવક છે તેટલું પાણી જ છોડવામાં આવી રહ્યું છે.
રાજવીએ પ્રજાને ધ્યાનમાં લઇને બનાવ્યું હતું બોરતળાવ
ભાવનગરના રાજવીએ જે તે સમયે શહેરની વસ્તીને ધ્યાનમાં લઇને પીવાના પાણીના સ્ત્રોત માટે બોરતળાવ બનાવ્યું હતું. આ બોરતળાવ 7 વર્ષ બાદ ઓવરફલો થયેલું જોવા મળ્યું છે.
બોરતળાવ પાસે ડૂબની જગ્યામાં થયાં દબાણો
જો કે બોરતળાવની આસપાસમાં ડૂબીની જગ્યામાં થયેલા દબાણો તેમજ આ જગ્યામાં બિલ્ડરોએ મકાનો બનાવેલ હોય તેને કોઇ અસર ના થાય તે માટે શાસકો અને તંત્ર આ તળાવ ને ઓવરફલો થવા દેતા નથી તેવો આક્ષેપ વિપક્ષ કરી રહ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ