બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / Black carbon staking up on glaciers due to wildfire can have dire consequences on environment
Shalin
Last Updated: 08:04 PM, 5 February 2020
સામાન્ય રીતે આ વિસ્તારોમાં બ્લેક કાર્બનની હાજરી નહીંવત્ હોય છે, પરંતુ જ્યારે જંગલોમાં આગ લાગે છે ત્યારે અને જયારે પંજાબ અને હરિયાણામાં પરાળ સળગાવાય છે ત્યારે બ્લેક કાર્બનની માત્રા વધી જાય છે.
WIHGના વરિષ્ઠ વિજ્ઞાની ડો. ડી.પી. ડોભાલ અને પી.એસ. નેગીના જણાવ્યા મુજબ ગ્લેશિયરોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિને લઇને સંસદમાં પ્રશ્ન ઉઠાવાયો હતો. તેના ક્રમમાં કેન્દ્રીય પર્યાવરણ અને વનપ્રધાન પ્રકાશ જાવડેકરને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું છે કે જંગલોમાં આગ લાગવા દરમિયાન (એપ્રિલથી જૂન) સુધી બ્લેક કાર્બનની માત્રા ગંગોત્રી ગ્લેશિયર ક્ષેત્રમાં ૪.૬૨ માઇક્રો ગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર જાણવા મળી છે.
આ ઉપરાંત ઓક્ટોબર-નવેમ્બરમાં જ્યારે દેશમાં પરાળ સળગાવાય છે ત્યારે ગ્લેશિયરમાં બ્લેક કાર્બનની સ્થિતિ બે માઇક્રો ગ્રામ પ્રતિ ક્યુબિક મીટરથી વધુ પહોંચી રહી છે. બાકીના સમયમાં જ્યારે બહારના ક્ષેત્રની હવા ગ્લેશિયર તરફ હોતી નથી ત્યારે પ્રદૂષણની સ્થિતિ અત્યંત ઓછી હોય છે.
વૈશ્વિક મંચ પર જ્યારે પણ જળ વાયુ પરિવર્તનની વાત થાય છે તો ખૂબ સરળતાથી બીજા દેશ કહે છે કે ભારતની મોટા ભાગની વસ્તી રાંધવા માટે લાકડાં સળગાવે છે તેથી વાયુ પ્રદૂષણ વધે છે અને ગ્લેશિયરો પર ખતરો પણ વધે છે. પહેલી વાર હિમાલય ગ્લેશિયરો પર બ્લેક કાર્બનની સ્થિતિ જાણવા ગંગોત્રી ગ્લેશિયરમાં લગાવાયેલા એથ્લોમીટરથી નવી કહાણી સામે આવી છે. પ્રદૂષણ માત્ર ભારતમાંથી નહીં, પરંતુ યુરોપના દેશો અને ચીનમાંથી પણ આવે છે. અહીંથી પણ બ્લેક કાર્બન ગ્લેશિયરો સુધી પહોંચી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ