બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ગુજરાત / અમદાવાદ / Big news: Police 'secret preparation' on Lord Jagannath's rathyatra, three action plans prepared
Kiran
Last Updated: 10:02 AM, 24 June 2021
કોરોના મહામારી વચ્ચે રથયાત્રા નિકળશે તે નહી તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરતું રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રથયાત્રા પૂર્વ પણ ભગવાન જગન્નાથની જળયાત્રા નિકાળવામાં આવે છે તેની પણ મંદિર પરિસરમાં આજથી યોજાઈ રહી છે. ત્યારે રથયાત્રા આવતે યોજાશે કે નહીં તેને લઈને અસમંજસ જોવા મળી રહ્યું છે તે બધાની વચ્ચા રાજ્યમાં પોલીસ તંત્રએ રથયાત્રાને લઈને તૈયારીઓ બતાવી છે.
અમદાવાદમાં રથયાત્રા નિકળે તો પોલીસ તંત્રની તૈયારી
અમદાવાદમાં આવખે રથયાત્રા યોજાશે તો પોલીસ તંત્ર ખડે પગે તૈયાર રહેશે તેવું શહેર પોલીલ જણાવી રહી છે. રથયાત્રાના આયોજનને લઈને પોલીસે ત્રણ એક્શન પ્લાન તૈયાર કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ વખતે પરંપરા મુજબ રથયાત્રા નિકળે તો પણ પોલીસે તૈયારીઓ બતાવી છે. જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે માત્ર ત્રણ રથ કે ભગવાનની મૂર્તિ ટ્રકમાં મુકીને રથયાત્રા કાઢવાની વિચારણાં ચાલી રહી છે.
રથયાત્રાને લઈ પોલીસે તૈયાર કર્યા ત્રણ એક્શન પ્લાન
મહત્વનું છે કે આજે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ રહી છે ત્યારે ભગવાન ના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તો ને દર્શન આપશે. રાજ્યમાં કોવિડને કારણે TVના માધ્યમથી ભગવાન ભક્તોને દર્શન આપશે. બપોર બાદ ભગવાનને મોસાળવાસીઓ સરસપુર લઇ જશે. સરસપુર મંદિરે મોસાળવાસીઓ દ્વારા ભગવાનનું સ્વાગત કરાશે.
બપોર બાદ ભગવાન ને મોસાળવાસીઓ લઇ જશે સરસપુર
પરંપરા મુજબ રથયાત્રા નિકળે તો પણ પોલીસ તૈયાર
એક માન્યતા મુજબ આ દિવસથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ મામાને ઘેર જાય છે અને આ દિવસથી મંદિરમાં તેમના દર્શન થતાં નથી. તેમની પ્રતિમાને સ્થાને માત્ર ફોટો મૂકવામાં આવે છે.ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું મોસાળ સરસપુરમાં છે. તેમજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ પૂનમના દિવસે નિજ મંદિરમાં પરત ફરે છે. તેની બાદ અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ