બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ayodhya ramlalas darshan duration on ramnavami increased by two hours
Mehul
Last Updated: 07:11 PM, 18 March 2020
આ જોતાં પ્રશાસને રામલલાનાં દર્શનનો સમય 31 માર્ચથી 2 એપ્રિલ સુધી ત્રણ દિવસ માટે બે કલાક વધારી દીધો છે. કોરોના વાઇરસના ખતરાને જોતાં રામનવમી પર અયોધ્યામાં ભક્તોની સંખ્યા કેવી રીતે ઘટાડવામાં આવે તેને લઇને તંત્ર અને સરકાર ચિંતિત છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ ગઇ કાલે સંકેત આપ્યા કે રામનવમીએ લાઇવ પ્રસારણ પણ કરાશે. લોકો પોતાના ઘરમાંથી જ રામલલાના દર્શન કરી શકશે.
રામનવમી પર 28 વર્ષથી ચાલી આવી છે પરંપરા
સુપ્રીમ કોર્ટના આદેશના ચાર મહિના બાદ અયોધ્યામાં આયોજિત આ સમારંભમાં અસ્થાયી મંદિરની પાસે મુખ્યપ્રધાન પારિજાત રુદ્રાક્ષ અને તુલસીના છોડ રોપશે. રામનવમી પર 28 વર્ષથી આ પરંપરા ચાલી આવી છે. પ્રશાસને 31 માર્ચથી 2 એપ્રિલ સુધી રામલલાનાં દર્શન કરવાના સમયને બે કલાક વધારી દીધો છે. અન્ય દિવસોમાં શ્રદ્ધાળુઓ સવારે 7થી 11 અને બપોરે 1થી 5 વાગ્યા સુધી જ દર્શન કરી શકશે. અયોધ્યાના પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોગ્ય અને સુરક્ષાના કારણોથી સમયગાળો વધારવો શક્ય નથી.
15 ફૂટ દૂરથી દર્શન થશે
ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે એટલે કે 25 માર્ચે સવારે 3 વાગ્યે રામલલાનાં સિંહાસનને ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન અને હનુમાનજી સાથે નવા અસ્થાયી મંદિરમાં પહોંચાડાશે. શ્રદ્ધાળુઓ અહીં શ્રીરામલલાનાં દર્શન બાવન ફૂટના બદલે 15 ફૂટ દૂરથી કરી શકશે. મંદિરને આકર્ષક બનાવવા વાટિકાની આસપાસ સેંકડો વૃક્ષ રોપાયાં છે. આરતી બાદ મુખ્યપ્રધાન મંદિરના નિર્માણ માટે આર્થિક યોગદાનની પણ જાહેરાત કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ