બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ashok lavasa election commission supreme court narendra modi mcc violation
vtvAdmin
Last Updated: 10:38 AM, 21 May 2019
ચૂંટણી કમિશ્નર અશોક લવાસાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ મામલે વિલંબ પર કડક પ્રતિક્રિયા વ્યક્ત કરતા આ સંબંધમાં ફરિયાદ મામલે પારદર્શિતા અને સમયબદ્ધ રીતે કરવા નિર્દેશ કર્યો હતો.
15 એપ્રિલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી દરમિયાન ભડકાઉ ભાષણ મામલે નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી પર પૂછ્યું હતું કે શું ચૂંટણી પંચ સવાલો પર તપાસ કરી રહી છે. તેના બાદ ચૂંટણી પંચે બસપા પ્રમુખ માયાવતી, સપા નેતા આઝમખાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપ સાંસદ મેનકા ગાંધી વિરુદ્ધ સાંપ્રદાયિક ટિપ્પણી માટે ચૂંટણી પ્રચાર પર અસ્થાઇ પ્રતિબંધનો આદેશ જાહેર કર્યો હતો.
અશોક લવાસાએ કહ્યું, 'સુપ્રીમ કોર્ટના આ વલણના ત્રણ દિવસ બાદ મે આદર્શ આચાર સંહિતાના મામલે મજબૂત અને યોગ્ય કાર્યવાહી કરવા નોટ લખી હતી. છતા આ દિશામાં કોઇ કાર્યવાહી થઇ નહોતી'. લવાસાએ કહ્યું કે તેમની સલાહ પર કાર્યવાહી ન થતા તેના વિરોધમાં મેં આદર્શ આચાર સંહિતા પર યોજાનારી બેઠકોમાં સામેલ થવા ઇનકાર કર્યો હતો.
મંગળવારે ચૂંટણી પંચની યોજાનારી બેઠકની પૂર્વ અશોક લવાસાએ પોતાની એ વાતને સાચી બતાવી. જેમા તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચના અંતિમ નિર્ણયમાં અલ્પસંખ્યક મતને પણ સામેલ કરવા જોઇેએ. લવાસાએ કહ્યું, 'જો ચૂંટણી પંચનો નિર્ણય બહુમતને આધારે લેવામાં આવે છે તો તેમા જો અલ્પસંખ્યક મત સામેલ નથી કરતા તો તેનો શું અર્થ રહેશે'?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ