બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
vtvAdmin
Last Updated: 11:53 AM, 1 August 2019
સૂત્રોના જણાવ્યા અનુસાર આ શખ્સની ઓળખ રાજૂ લક્ષ્મણ તરીકે કરવામાં આવી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ પકડાયેલા જાસૂસે પાકિસ્તાન પોલીસની પૂછપરછમાં આ વાતનો સ્વીકાર કર્યો છે કે તે ભારતનો રહેવાસી છે અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જાસૂસી કરી રહ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ સમયે રાજૂ બલૂચિસ્તાનમાંતી ડેરા ગાઝી ખાન જિલ્લામાં પ્રવેશ કરી રહ્યો હતો. એક મળતાં અહેવાલ મુજબ રાજૂને કોઇ અજ્ઞાત સ્થળ પર લઇ જવામાં આવ્યો છે. જ્યાં પાકિસ્તાન એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને કૂલભૂષણ જાધવને કથિત રીતે જાસૂસ હોવાનો દાવો કરીને જેલમાં બંધ કરી દીધો છે. આ બેબુનિયાદ આરોપને લઇને પાકિસ્તાને જાધવને મોતની સજાનું એલાન કર્યું હતું. જેને લઇને આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)એ તેના પર ફરી વિચાર કરવા જણાવ્યું છે. કોર્ટે જાધવને ડિપ્લોમેટીક મદદ ન દેવાના પાકિસ્તાનના નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો અને તેને વિયના સંધિનું ઉલ્લંઘનનું દોષી માન્યું હતું.
પાકિસ્તાનનો દાવો છે કે તેણે કૂલભુષણ જાધવને માર્ચ 2016માં બલૂચિસ્તાન પ્રાંતમાંથી એ સમયે ધરપકડ કરી હતી જ્યારે તે ઇરાનથી પાકિસ્તાન ઘૂસ્યો હતો. જો કે ભારતે આ બધા દાવાને ફગાવી દીધા છે. ભારતે ગત વર્ષ મે મહિનામાં આ મામલાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ઉઠાવ્યો હતો. જ્યાં કૂલભૂષણ જાધવની ફાંસીનો વિરોધ કરવામાં આવ્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ