ઉનાળામાં વરિયાળીનું પાણી પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે, જાણો વરિયાળીનાં પાણીથી સ્વાસ્થ્યને ક્યા ક્યા પ્રકારના લાભ મળે છે.
ઉનાળામાં વરિયાળીનું પાણી ફાયદાકારક
વજન ઉતારવામાં પણ ઉપયોગી
કાળઝાળ ગરમીમાં પણ અપાવે છે રાહત
ગરમીમાં કસરત કરવી અને પરસેવો પાડવો એ બહુ અઘરું કામ છે. ઘણી વખત થોડી કસરત કર્યા પછી મન અને શરીર બંને થાકી જાય છે. આવી સ્થિતિમાં ઉનાળામાં આહાર પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. ઉનાળામાં પેટ સંબંધિત તમામ સમસ્યાઓ થવા લાગે છે. હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચવા ઉપરાંત તમારે દરરોજ સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવું જોઇએ.
વરિયાળીનું પાણી દિવસમાં ગમે ત્યારે લઈ શકાય છે અને તેને વારંવાર પી શકાય છે, કારણ કે તેના ઘણા ફાયદા છે તો ચાલો, વરિયાળીના પાણીના છુપાયેલા ગુણો અને કઇ રીતે તે પેટની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે તે અંગે જાણીએ.
ભૂખ ઓછી કરે છે
વરિયાળીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને જો રોજ ચાવવાની આદત બનાવો તો તે વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તે ખાધા પછી ભૂખ ઓછી લાગે છે. તે ભૂખ મટાડે છે અને પેટને ઠંડક આપે છે.
શરીરને કરશે ડિટોક્સીફાઈ
વરિયાળીને કુદરતી ડિટોક્સિફાયર કહેવાય છે. શરીરની ગંદકી બહાર કાઢવાની સાથે તે િલવર અને િકડનીનું કામ પણ હળવું કરે છે, તેનું પાણી જમ્યા પછી પીવું જોઈએ. તે પાચનક્રિયામાં સુધારો કરશે.
ચરબી ઓગાળશે
વરિયાળીનું પાણી પીવાથી તમારા શરીરની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. વિટામિન અને મિનરલ શરીરના શોષણમાં સુધારો કરીને ચરબી ઓગાળવાનું શરૂ કરે છે.
ફુલાયેલા પેટને કરશે અંદર
વરિયાળીમાં ફોસ્ફરસ, સેલેનિયમ, ઝિંક, મેંંગેનીઝ જેવા એિન્ટઓક્સિડેન્ટ હોય છે, જે શરીરને ફ્રી રેડિકલથી બચાવવાનું કામ કરે છે. ફ્રી રેડિકલ ઓક્સિડેિટવ તણાવ પેદા કરે છે અને આ ઓક્સિડેિટવ તણાવ સ્થૂળતાનું કારણ બને છે.
મેટાબોલિઝમને કરશે મજબૂત
વરિયાળીનું સેવન કરવાથી મેટાબોલિઝમની પ્રક્રિયા ઝડપી બને છે, ખાસ કરીને જ્યારે ખાલી પેટે લેવામાં આવે છે. આ ઉપરાંત તે એસિડિટી અને ગેસથી રાહત આપે છે. હાઇપર એિસિડટીથી પીડિત લોકો માટે વરિયાળીનું પાણી વરદાન છે. ગેસની સમસ્યામાં પણ તે ખૂબ જ ઉપયોગી છે.
લૂથી બચાવશે
વરિયાળીનું પાણી પેટને ઠંડું કરે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે, જ્યારે પણ તમે ઘર બહાર નીકળો છો ત્યારે વરિયાળીનું પાણી પીઓ અને તેને બોટલમાં ભરી તમારી સાથે રાખો અને સમયાંતરે પીતાં રહો.
કઈ રીતે બનાવવું વિરયાળીનું પાણી?
વરિયાળીનું પાણી બનાવવા માટે એક-બે ચમચી વરિયાળી લો અને તેને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને આખી રાત રહેવા દો. સવારે આ પાણી પીઅો અને વરિયાળી ખાઓ. જો તમે ઈચ્છો તો વરિયાળીનું પાણી ઉકાળીને પી શકો છો.