બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / anand sojitra municipality 5 councilors resigned before gujarat elections
Dhruv
Last Updated: 02:16 PM, 12 September 2022
વિધાનસભાની ચૂંટણી પહેલા આણંદ જિલ્લામાં ભાજપના 5 કાઉન્સિલરોએ રાજીનામા ધરી દીધા છે. સોજીત્રા નગરપાલિકાના 5 કાઉન્સિલરોએ રાજીનામા આપી દીધા. ભાજપમાંથી પ્રાથમિક સભ્ય પદેથી તેઓએ રાજીનામું આપી દીધું છે. કાઉન્સિલરોએ સ્થાનિક સંગઠનથી નારાજ થઇને રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તદુપરાંત કેટલાક હોદ્દેદારો પર બદનામ કરવાનો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે.
અગાઉ જસદણ તાલુકા ભાજપ પ્રમુખે રાજીનામું આપતા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું હતું
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ થોડા દિવસો પહેલા જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભ રામાણીએ પણ રાજીનામું આપી દીધું હતું. વિધાનસભાની ચૂંટણી માથે હોવા છતાં રાજકોટ પંથકમાં કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા વચ્ચેનો વિવાદ શમ્યો ન હોવાના પુરાવારૂપ આ રાજીનામું લેવાયું હોવાની ચર્ચા જાગી હતી.
વલ્લભ રામાણીએ રાજીનામું ધરી દેતા ભાજપમાં આંતરિક ડખ્ખો ખુલીને સામે આવ્યો હતો. બીજી તરફ ભાજપમાં ભડાકાને લઇને સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું હતું. આ રાજીનામા બાદ સંગઠન માળખામાં વધુ પણ રાજીનામાં પડે તેવી શક્યતા સેવવામાં આવી હતી.
જાણો કયા 5 કાઉન્સિલરોએ રાજીનામા ધરી દીધા?
તાજેતરમાં જ કોંગ્રેસમાં પણ અનેક યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓએ રાજીનામા ધરી દીધા
એ સિવાય તાજેતરમાં કોંગ્રેસમાં પણ એકબાદ એક દિગ્ગજોએ રાજીનામા ધરી દીધા હતા. ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, વિનયસિંહ તોમર સહિત જીગર માળી, પાર્થ દેસાઈ, વિશાલ ઠાકોર, ભાવરી સમાજના ગુજરાત પ્રમુખ માલારામ ભાવરી સહિત અનેક યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓએ રાજીનામા ધરી દેતા ચૂંટણી પહેલા કોંગ્રેસને પણ મોટો ઝટકો લાગ્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ